________________
અનાલમ્બનયોગથી શું થાય છે આ જિજ્ઞાસામાં
જણાવાય છે –
द्रागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् ।
एतच्च केवलं तज्ज्ञानं यत्तत् परं ज्योतिः ॥१५-१०॥ “અનાલંબનયોગથી તરત જ પરતત્ત્વનો સાક્ષાત્કાર બાણ પડવાના દૃષ્ટાંતથી જાણવો. આ પરતત્ત્વનું દર્શન કેવલજ્ઞાન સ્વરૂપ છે, કે જે પ્રકૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છે.”-આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. તેનો સાર એ છે કે શીઘ્રપણે આ અનાલંબનયોગથી પરતત્ત્વદર્શન થાય છે. બાણ પડવાનો છે વિષય જેનો એવા દૃષ્ટાંત[ઉદાહરણ]થી જ આ પરતત્ત્વદર્શન જાણવું. આ પરતત્ત્વ કેવ[સંપૂર્ણ] એવા પ્રસિદ્ધ જ્ઞાન[કેવલજ્ઞાન] સ્વરૂપ છે, જે પરમ[પ્રકૃષ્ટ] જ્યોતિ[પ્રકાશ]સ્વરૂપ છે. ઈષપાત ઉદાહરણ નીચે જણાવ્યા મુજબ સમજવું.
જેમ કોઈ એક ધનુર્ધારી લક્ષ્યને અભિમુખ બાણને બરાબર ચોક્કસ નિશાન લઈને બાણ છોડે છે અને એ વખતે લક્ષ્ય ઉપર બાણ પડતાંની સાથે જ લક્ષ્ય વીંધાય છે તેમ અનાલંબનયોગથી પરતત્ત્વના સાક્ષાત્કાર સ્વરૂપ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં જ્યાં સુધી બાણ છૂટતું નથી ત્યાં સુધી માત્ર પૂર્વતૈયારી હોય છે અને ચોક્કસ જ લક્ષ્ય વીંધાશે, તેથી અવિસંવાદ હોય છે. એ સ્વરૂપ અનાલંબનયોગ હોય છે. જ્યારે તે બાણ છૂટે છે અને લક્ષ્ય ઉપર બરાબર પડવામાત્રથી લક્ષ્યવેધક બને છે, ત્યારે તેના જેવો અનાલંબનયોગના ઉત્તરકાળમાં તેના પડવા જેવો કેવલજ્ઞાનનો સાલંબન પ્રકાશ થાય છે.
૪૧૪