Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 416
________________ અનાલમ્બનયોગ તરીકે વર્ણવ્યો છે.” આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે આ અનાલમ્બનયોગ પરતત્ત્વ જોવાની ઈચ્છા સ્વરૂપ દિÉક્ષાને લઈને પ્રવલો છે. પરંતુ વાસ્તવિક રીતે તેમાં પ્રતિષ્ઠાને પામેલો નથી. કારણ કે પરતત્ત્વ દૃષ્ટ નથી. તત્ત્વથી તો તેના ધ્યાન વડે તે પ્રવર્યો છે. અંશતઃ પણ અહીં પરતત્ત્વની અભિમુખતાનો પ્રચ્યવ નથી. તેમ જ આ યોગ બધા યોગમાં શ્રેષ્ઠ એવા યોગનિરોધ નામના યોગની પૂર્વે થતો હોવાથી તેને સર્વોત્તમાનુજ તરીકે વર્ણવ્યો છે. તે કારણે તેને અનાલમ્બનયોગ તરીકે વર્ણવ્યો છે. “આ, પરતત્ત્વની દિÉક્ષાના કારણે પ્રવર્તેલા યોગને ત્યાં પરતત્ત્વનું દર્શન થયેલું ન હોવાથી જેમ અનાલંબનયોગ મનાય છે તેમ અપરતત્ત્વની દિદૃક્ષાના કારણે પ્રવર્તેલા યોગને પણ જ્યાં સુધી અપરતત્ત્વનું દર્શન ન થાય ત્યાં સુધી અનાલંબનયોગ માનવાનો પ્રસંગ આવશે. ત્યાં જો અપરતત્ત્વનું દર્શન થઈ ગયું છે એમ માની લેવામાં આવે તો; પરતત્ત્વના દર્શન પછી જેમ ધ્યાન મનાતું નથી તેમ અપરતત્ત્વના દર્શન પછી ધ્યાન નહિ મનાય.” આવી શંકા નહિ કરવી જોઈએ. કારણ કે અપરતત્ત્વના વિષયમાં પ્રતિમાદિના આલમ્બનથી સામાન્યથી જોયેલા અર્થમાં પણ તેને વિશેષ સ્વરૂપે જોવા માટે ધ્યાન પ્રવર્તે છે. પરમ્પરાએ ત્યાં પ્રતિમાદિનું આલંબન હોવાથી ત્યાં સાલમ્બનધ્યાનનો વ્યવહાર સદ્ગત છે. પરતત્ત્વના વિષયમાં તો કોઈ પણ પ્રકારે સામાન્ય કે વિશેષ દ્વારા પરતત્ત્વના દર્શનનો અભાવ હોવાથી અનાલંબનત્વનો વ્યવહાર છે. ૧૫

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450