Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 412
________________ પ્રતિભતત્ત્વદૃષ્ટિવાળો બને છે. મતિજ્ઞાનવિશેષને પ્રતિભા કહેવાય છે. તેનાથી ઉત્પન્ન થયેલાને અથવા તો પ્રતિભાને જ પ્રતિભ કહેવાય છે. તેનાથી પ્રતિભાથી ઉત્પન્ન થયું છે તત્ત્વદર્શન જેને એવા ધ્યાતાને પ્રતિભસજ્જાતતત્ત્વદૃષ્ટિ કહેવાય છે. અદૃષ્ટ અર્થને જણાવનારી મતિજ્ઞાનવિશેષ સ્વરૂપ પ્રતિભા છે. આવી પ્રતિભાથી અદૃષ્ટ પદાર્થોનું જ્ઞાન થતું હોય છે. આ પ્રાતિભજ્ઞાનથી તત્ત્વદર્શન થવાના કારણે શ્રી જિનેન્દ્રરૂપનું પ્રત્યક્ષ કરાય છે. તે શ્રી સિદ્ધપરમાત્માના પરતત્ત્વસ્વરૂપની પૂર્વે થતું હોવાથી તેને અપરતત્ત્વ કહેવાય છે. તે પરમાર્થસ્વરૂપ ધ્યેય[સાલંબનધ્યાનનો વિષય છે. જેનાઅપરતત્ત્વના સામર્થ્યથી મુક્તિમાં રહેલું પરતત્ત્વ આવિર્ભત થાય છે. ધ્યાનમાં તત્પર એવા બધા જ યોગીઓને અપરતત્ત્વના સામર્થ્યથી જ પરતત્ત્વનો આવિર્ભાવ થાય છે. અહીં ગાથામાં પ્રતિમસંજ્ઞાતિતત્ત્વરિટ આ પદ પછી મતિ આ ક્રિયાપદ અધ્યાહારથી સમજવાનું છે. ધ્યાતાના દરેક વિશેષણ પછી તે પ્રમાણે સમજવાનું છે, તેથી પૂર્વગાથામાં પણ એ રીતે સમજી લેવું. * પ્રતિભજ્ઞાન શાસ્ત્રાતિક્રાન્ત હોવાથી શ્રુતજ્ઞાનથી ભિન્ન છે. ક્ષાયોપશમિક હોવાથી કેવલજ્ઞાન સ્વરૂપ પણ નથી. અરુણોદયજેવું છે. અરુણોદય પછી અલ્પકાળમાં જ જેમ સૂર્યોદય થાય છે તેમ પ્રતિભાન પછી અલ્પકાળમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે...ઈત્યાદિ અધ્યાપકાદિ પાસેથી સમજી લેવું જોઈએ. /૧પ-દા

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450