________________
અનુષ્ઠાનના ફળનો ઉપઘાત કરે છે અર્થાત પ્રતિબંધ કરે છે. આ અન્યમુદ્દોષ શાસ્ત્રોક્ત ચૈત્યવંદનાદિ કે સ્વાધ્યાયાદિમાં પણ સંભવે છે. શ્રુત પ્રત્યેના અનુરાગને લઈને ચૈત્યવંદન કરવાના સમયમાં પણ ચૈત્યવન્દનનો અનાદર કરનારને અન્યમુદ્, દોષનું જ કારણ બને છે. શ્રુતમાં ચિત્ત આસક્ત હોવાથી ચૈત્યવન્દનમાં ઉપયોગ ન હોવાથી અન્યમુદ્ દોષ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રવિહિત બંન્ને અનુષ્ઠાનમાં; એકમાં આદર કરવો અને બીજામાં અનાદર કરવો-આવી કોઈ વિશેષતા નથી. ૧૪૯૭
***
હવે રુગુ(રોગ) નામના દોષનું નિરૂપણ કરાય છે रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ||૧૪-૧૦ની
“રુગ્(રોગ) નામનો ચિત્તદોષ હોતે છતે અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થવાથી જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરી ઈષ્ટની સિદ્ધિ થતી નથી. તેથી તે અનુષ્ઠાન ન કરવા સ્વરૂપ છે, માટે તે વન્ધ્યફળવાળું જ છે.” - આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે રોગ નામનો ચિત્તનો દોષ જ્યારે હોય ત્યારે કરાતા અનુષ્ઠાનની જાતિનો ઉચ્છેદ થાય છે અર્થાત્ અનુષ્ઠાનનું અનુષ્ઠાનત્વ જ રહેતું નથી. તેથી તે અનુષ્ઠાન કરવાથી ખરી રીતે ઈષ્ટ ફળની સિદ્ધિ થતી નથી. ચોક્કસપણે ફળનું કારણ નહિ બનનાર એ અનુષ્ઠાન અનનુષ્ઠાન સ્વરૂપ એટલે કે ન કરવા સ્વરૂપ જ છે. તેથી તે વન્ધ્યફળવાળું-નિષ્ફળ જ છે. કારણ કે આવા
"
૩૯૪