SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદરભાવ જન્મે છે. તે પરમાર્થથી મહાન અપાયનું કારણ બને છે. સર્વ અનર્થોનું તે કારણ છે અને જેની પ્રત્યે આનંદ છે તે અન્ય અનુષ્ઠાન ઉપર અંગારાની વૃષ્ટિ કરવા જેવું છે”. આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણે જે અનુષ્ઠાન કરવાની શરૂઆત કરી હોય તે અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાન પ્રત્યે જે આનંદ આવે છે તેને “અન્યમુદ્દ’ નામનો દોષ કહેવાય છે. આ ચિત્તદોષના કારણે બીજા અનુષ્ઠાન પ્રત્યે તીવ્રરાગ[અભિલાષ હોવાથી કરવા લીધેલા અનુષ્ઠાન પ્રત્યે અનાદરભાવ જાગે છે. કારણ કે તે તે ક્રિયા કરવાના સમયે અન્યક્રિયા પ્રત્યેનો રાગ તે તે ક્રિયા પ્રત્યે અરાગને [અનાદરને પ્રગટ કરે છે. તેથી આ અન્યમુદ્ નામનો દોષ, મહાન અપાયવિક્મનું કારણ બને છે. તેમ જ સઘળા ય અનર્થોનું એ નિમિત્ત છે. કારણ કે વિહિત અનુષ્ઠાન પ્રત્યે જો થોડો પણ અનાદર હોય તો તે દુઃખે કરીને જેનો નાશ થઈ શકે એવા દુરન્ત સંસારની પ્રત્યે કારણ બને છે. યદ્યપિ અન્ય અનુષ્ઠાન પ્રત્યે તીવરાગ હોવાથી ચાલુ અનુષ્ઠાન પ્રત્યે થોડો અનાદર હોય તોપણ અન્યઅનુષ્ઠાન પ્રત્યેના રાગ સ્વરૂપ ગુણના કારણે લાભ અને નુકસાન સરખા જ છે એવું લાગે; પરન્તુ તેવું ખરેખર નથી. કારણ કે આરંભેલા અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાન પ્રત્યે થનારો એ તીવરાગ તે અનુષ્ઠાન ઉપર અંગારાની વર્ષા જેવો છે અર્થાત્ એ અનુષ્ઠાન પ્રત્યેનો તીવ્રરાગ જ તે અનુષ્ઠાનને ભસ્મસાત્ કરી નાંખે છે. કારણ કે જે અનુષ્ઠાન માટે કાલઅવસર ન હોય એવા અકાલ અનુષ્ઠાન પ્રત્યેનો રાગ, તે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy