________________
કૃતેતરાદિગત સંસ્કારના અભાવે આરંભેલી યોગની પ્રવૃત્તિ; યોગના ઈષ્ટ ફળને આપતી નથી પરંતુ અનિષ્ટ ફળને આપે છે. કારણ કે કૃતેતરાદિ સંસ્કારથી યુક્ત જ ક્રિયા તે તે ઈષ્ટ ફળને આપનારી છે. અહીં યાદ રાખવું જોઈએ કે કોતરાદિગત સંસ્કારનો અભાવ ભ્રાંતિ નામના દોષના કારણે થયો છે. પરંતુ ભ્રાન્તિના કારણે જ એવું બને છે એવું નથી ઉપેક્ષાના કારણે પણ કૃતેતરાદિગત સંસ્કારનો અભાવ થાય છે. ત્યાં પણ યોગની ક્રિયાથી અનિષ્ટ ફળ પ્રાપ્ત થતું હોય છે. તેથી ભ્રાન્તિ નામના દોષથી ઉપેક્ષાનો પણ સંગ્રહ કરવાનો છે. અર્થાત્ જે જે કારણે કૃતેતરાદિ સંસ્કારોનો અભાવ થાય છે, તે તે બધાનો સમાવેશ આ બ્રાન્તિ નામના દોષમાં કરવાનો છે. કારણ કે કૃતેતરાદિગત સંસ્કારોના અભાવ દ્વારા ભ્રાન્તિદોષ યોગના ફળનો અવરોધ કરે છે. એ જ રીતે ઉપેક્ષા પણ યોગના ફળનો અવરોધ કરે છે. I૧૪-૮
અન્યમુદ્ નામના દોષનું વર્ણન કરાય છે – अन्यमुदि तत्र रागात्तदनादरताऽर्थतो महापाया । सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥१४-९॥
જ્યારે જે અનુષ્ઠાનનો આરંભ કર્યો હોય ત્યારે તે અનુષ્ઠાનથી અન્ય એવા અનુષ્ઠાનમાં જે આનંદ છે, તેને અન્યમુદ્ કહેવાય છે. એ અન્યમુદ્દોષ હોય ત્યારે અન્ય અનુષ્ઠાનના રાગના કારણે ચાલુપ્રિકૃતી અનુષ્ઠાન પ્રત્યે