________________
પ્રમાણેની વ્યાખ્યાના અંગે કરવો. આથી સંવિગ્નપાક્ષિક થવાની અને સાધુવેષનો ત્યાગ કરવાની વ્યવસ્થા સિદ્ધ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે સંવિગ્નપાક્ષિકોને ઉત્થાન નામનો દોષ હોતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે ચોથી દૃષ્ટિમાં ઉત્થાન નામના દોષનો અભાવ હોય છે.. ઈત્યાદિ તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર દિશાસૂચન છે. ૧૪
હવે ભ્રાન્તિ નામના દોષનું વર્ણન કરાય છે – भ्रान्तौ विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥१४-८॥
“બ્રાન્તિભ્રમ]દોષ હોય ત્યારે વિશ્વમના કારણે “આ કર્યું અને આ ન કર્યું -વગેરે સંબંધી સંસ્કાર નથી હોતા. તેથી તેના અભાવમાં યોગની પ્રવૃત્તિ તેના વિરોધી એવા અનિષ્ટ ફળને પ્રાપ્ત કરાવે છે.” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ભ્રાન્તિ નામનો ચિત્તદોષ હોય ત્યારે વિભ્રમના કારણે અર્થાત્ મનની વિકલતાના કારણે કતાદિ કે અકતાદિના સંસ્કાર હોતા નથી. આ મારા વડે કરાયું અને આ મારા વડે ન કરાયું તેમ જ આ મારા વડે બોલાયું અને આ ન બોલાયું-આવી જાતના સંસ્કારને કોતરાદિગત સંસ્કાર કહેવાય છે. વિપરીત સંસ્કારના કારણે સાચા સંસ્કારનો નાશ થાય છે. મનની વિકલતાના કારણે સંસ્કાર વિપરીત બને છે.