SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું છે. આથી જ દીક્ષા ગ્રહણ કર્યા પછી મૂળગુણ અને ઉત્તરગુણોનો નિર્વાહ કોઈ પણ રીતે શક્ય ન જ બને તો વિધિપૂર્વક શ્રાવકનો આચાર પાળવાનું તેવા જીવો માટે ફરમાવ્યું છે. - નિર્વેદના કારણે થનાર યોગકરણને અહીં અત્યા સ્વરૂપે અને ત્યાતિ સ્વરૂપે વર્ણવ્યું છે. તે પદોનું વિવરણ કરતી વખતે અનુક્રમે મત્યાગ માં કથંચિત્ ઉપાદેયત્વ અને ત્યાવિત માં દોષવત્ત્વને હેતુ તરીકે જણાવ્યો છે. એક જ ક્રિયામાં એ બંને ભાવવિશેષના કારણે સંગત બને છે. આ રીતે માનવાથી જ સંવિગ્નપાક્ષિકની વ્યવસ્થા શક્ય બને છે. પોતાની શિથિલતાને સમજ્યા પછી પણ સંવિગ્નજનોના પક્ષપાતના કારણે તેઓ સાધુવેષનો ત્યાગ કર્યા વિના સંવિગ્નપાક્ષિકોનો માર્ગ સ્વીકારે છે અને તેથી તેમને ગુણની પ્રાપ્તિ થાય છે. પરંતુ એવા પરિણામ ન હોય અને સાધુવેષમાં રહીને સાધ્વાચારનું પાલન ન કરે તો તેમને ચારિત્રમોહનીયાદિ કર્મના બંધ સ્વરૂપ દોષની પ્રાપ્તિ થાય છે. સંવિગ્નપાક્ષિક આદિનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. અહીં તો માત્ર ઉત્થાન દોષના વિષયમાં અનુષ્ઠાનયોગકરણને આશ્રયીને અત્યાગ અને ત્યાગોચિતતા જ જણાવવાનું તાત્પર્ય છે. સાધુવેષને આશ્રયીને અત્યાગ અને ત્યાગોચિતતા ભાવવિશેષના કારણે ઉપર જણાવ્યા મુજબ સંગત બની શકે છે. એકમાં સાધુવેષનો અત્યાગ ગુણનું કારણ બને છે અને બીજે તેનો ત્યાગ ગુણનું કારણ બને છે, એમાં તે તે આત્માનો પરિણામ કારણ બને છે. આ બધો વિચાર કર્યાવિહુપત્નીત્યારનું આ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy