________________
યોગથી હંમેશાં પ્રાપ્ત થતું હોય છે. કોઈ કારણસર યોગની ક્રિયાનો અહીં ત્યાગ ન હોવા છતાં તે ત્યાગને જ ઉચિત છેએમ આપણા આગમમાં પણ મનાય છે.”- આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્થાનદોષ હોતે છતે ચિત્ત પ્રશાન્ત હોતું નથી. ચિત્તની અપ્રશાન્તાવસ્થાને કારણે યોગની પ્રવૃત્તિમાં નિર્વેદ આવે છે. આવા પ્રસંગે યોગની સાધના ચાલુ હોવા છતાં એ સાધનાથી યોગને આશ્રયીને પ્રાપ્ત થનારું ફળ પ્રાપ્ત થવાના બદલે યોગના અકરણનું જ ફળ મળતું હોય છે. ક્રિયા કરવા છતાં ક્રિયા ન કરવાનું ફળ જ પ્રાપ્ત થાય : એ વિચિત્ર છે.
આ રીતે નિર્વેદથી કરાતી યોગની પ્રવૃત્તિ કથંચિત્ ઉપાદેય હોવાથી તેનો ત્યાગ કરાતો નથી, તેથી તે યોગકરણ અત્યાગ સ્વરૂપ ત્યિાગ વિનાનું છે. પરંતુ ખરેખર તો તેનું ફળ મળવાનું ન હોવાથી તે ત્યાગને જ ઉચિત છે. આશય એ છે કે ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ નામના દોષના અભાવમાં પણ ચિત્તની અપ્રશાત અવસ્થાના કારણે યોગની પ્રવૃત્તિમાં પણ મન સ્વસ્થ રહેતું નથી. આન્તરિક રીતે પ્રતિજ્ઞાનો ભંગ તો થયેલો જ હોય છે. બાહ્ય રીતે પ્રતિજ્ઞાભંગ થાય તો લોકમાં નિંદા થશે એવા ભયથી નિંદા સહન થતી ન હોવાથી એ જીવો નિર્વેદથી પણ બાહ્ય રીતે ક્રિયા ચાલુ રાખે છે. આવી રીતે ક્રિયાનો ત્યાગ ન હોવા છતાં અપ્રશાન્તવાહિતાસ્વરૂપ વિષથી યુક્ત હોવાથી તેનો ત્યાગ જ ઉચિત છે. ગમે તેટલી ભૂખ લાગી હોય તોપણ વિષથી યુક્ત અનાજ ત્યજવું જ જોઈએ. આ પ્રમાણે આપણા આગમમાં પણ માનવામાં