________________
પણ રીતે વિવક્ષિત યોગપ્રાપ્તિ સ્વરૂપ ફળની સમૃદ્ધિ માટે તે ચિત્ત અથવા તે ક્રિયા થતી નથી. આ વાત સમજી શકાય એવી છે. જે ચિત્ત કે ક્રિયાથી યોગસ્વરૂપ ફળને પામવાનું છે તે ચિત્ત કે ક્રિયા જ જો સ્થિર ના હોય તો કઈ રીતે ફળની પ્રાપ્તિ થાય ? કાર્યની સિદ્ધિ માટે કારણનું સાતત્ય[અનવરત સાન્નિધ્ય] અનિવાર્ય છે.
ગાથાના ઉત્તરાર્ધ્વથી દૃષ્ટાંતપૂર્વક એ વાત જણાવી છે. સામાન્ય રીતે ડાંગરનાં બીજ વાવ્યા પછી એનાં રોપટાં [નાનાં ઝાડવાં] ઊગે છે. તેને ઉખેડીને બીજી જગ્યામાં રોપવાથી ડાંગર પ્રાપ્ત થાય છે. પરંતુ અનેકવાર તેને ઉખેડીઉખેડી વાવવામાં આવે તો તેથી જેમ ડાંગરસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ યોગની સાધનામાં વિવક્ષિત યોગની પ્રાપ્તિ પણ વારંવાર ચિત્ત કે ક્રિયાને જોડવી પડે તો તેનાથી થતી નથી. એકવાર ચિત્ત કે ક્રિયાને વિવક્ષિત યોગની સાધનામાં જોડી દીધા પછી તેનું સાતત્ય જાળવી લઈએ તો સિદ્ધિ મળી રહે છે. સિદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમાં જ ચિત્ત પ્રતિબદ્ધ હોવું જોઈએ. અન્યથા ચિત્ત ક્ષેપદોષથી દુષ્ટ બન્યા વિના નહિ રહે. ||૧૪-૬॥
*
***
ઉત્થાનદોષનું વર્ણન કરાય છે
उत्थाने निर्वेदात्करणमकरणोदयं सदैवास्य । अत्यागत्यागोचितमेतत्तु स्वसमयेऽपि मतम् ॥ १४-७॥
“ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદ[કંટાળો]ના કારણે યોગની ક્રિયા કરતા હોવા છતાં ન કરવાનું જ ફળ
૩૮૮