________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદુ
અનન્ય
१७ संवेगनिर्वेदशीलः - જેના મનમાં સંગ થયો હોય છે તે અનાસક્તિથી કર્તવ્ય કર્મોને કરતે છતાં નિલેપ રહી શકે છે. સવેગ થયા વિના દેહાધ્યાસ ટળ નથી. તથા નામરૂપમાંથી અહમમતાશ્ચાસ ટળતું નથી અને તેમ સંવેગ પ્રાપ્ત થયા વિના આત્મિક સુખને નિશ્ચય થતું નથી. સવેગ અને નિર્વેદ સ્વભાવશીલ મનુષ્ય સ્વગુરૂની સેવા કરવામાં સ્વફરજને અદા કરે છે અર્જુનની પેઠે તે સ્થિર પ્રજ્ઞાવંત રહી શકે છે. બાહ્ય પદાર્થોમાં સુખની તથા દુઃખની બુદ્ધિ ધારણ કરતું નથી. ગુરૂ પાસેથી આત્મજ્ઞાન ગ્રહણ કરીને સર્વ કર્તવ્ય પ્રવૃત્તિ કરતો છત સર્વમાં નિર્લેપ રહી શકે છે, માટે સંવેગી તથા નિર્વેદ ગુણ, શિષ્ય પદને અધિકારી ઠરે છે.
१८ सुखदुःखे समः
શિષ્ય થતાં પૂર્વે સુખ દુ:ખમાં સમભાવ ધારણ કરવાની શક્તિ મેળવવી જોઈએ. સુખમાં રતિ અને દુઃખમાં શેક-ચિન્તા કરવાથી આત્માની શક્તિ ખીલતી નથી. સુખદુઃખમાં સમભાવ રાખનાર પિતાના ગુરૂપર દુઃખ હતાં અરૂચિ ધારણ કરતું નથી. તેમજ દુઃખ આપત્તિ પ્રસંગે ગુરૂને ત્યાગ કરી શકતો નથી. કોઈ વખત ગુરૂ, સ્વશિષ્યને ઉપાલંભ આપે તે પણ તે પરિષહજયી તથા સુખદુઃખમાં સમાન હોવાથી ગુરૂને પ્રભુ માની તેમનાં પાસાં મૂકતો નથી. સુખની લાલચથી અન્યત્ર ભાગી જતો નથી અને દુઃખ પડવાથી ગુરૂપ અરૂચિ ધારતું નથી. સ્વકર્માનુસારે સુખદુઃખ ગમે ત્યાં જવાથી થયા કરે છે એવું સમજી તે ગુરૂપર કોઈ પણ પ્રકારના દુઃખને આપ મૂક્ત નથી. સુદાદિોષરહિત હેવાથી કોઈ વખત ગુરૂજીની ભૂલ દેખાતી હોય તે પણ ગંભીર હોવાથી ગુરૂને વાંક કાઢતું નથી. સ્વગુરૂની ઉપાસનામાં પાછો પડતો નથી. ભલે સુખ મળે વાદુઃખ પડે પરંતુ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તાઓ, એવું સુખ દુઃખમાં સમભાવી વિચારીને તેને આયા રમાં મૂકી બતાવે છે. શાતાથી અને અશાતાથી પિલીવાર આત્માનું સત્ય સુખ છે એવો નિશ્ચય કરીને તે બાહ્યમાં શુભાશુભની કલ્પનાથી રહિત થઈ ગુરૂનાં પસાં સેવે છે અને ગુરૂને આનન્દકારક બને છે.
For Private And Personal Use Only