Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ ગુરૂનું હૃદય બની શકે છે. કેવો શિષ્ય ગુરૂના આત્માની સાથે તન્મયી બને છે તે જણાવે છે. જે શિષ્ય ગુરૂના શરીર અને મનને ધ્યાવત પૂજતો ગુરૂના આત્માની સાથે તદ્રુપ બની જાય છે અને ગુરૂને પિતે એમ દિધાભાવને ત્યાગ કરીને એકમેક બની જાય છે અને એવા તન્મયી જીવનથી આયુષ્યજીવને જીવે છે તે ગુરુબ્રહ્મને સાક્ષાત્કાર કરી જન્મજરા મરણના બંધનમાંથી છૂટે છે. ગુરૂની સાથે એવો તન્મયીભાવ ધારણ કરવો હેય તે હે શિષ્ય તું સદ્ગુરૂને પ્રાપ્ત કર. ગુરૂશ્રદ્ધા પ્રેમમાં ખામી ન પડવા દે. ગુરૂને સર્વનિવેદન કરી ખામીને દૂર કર. રામની સેવામાં જેમ હનુમાન રહ્યા હતા, તેમ ગુરૂની સેવામાં વર્ત ! ! ગુરૂના મહિમાને પ્રથમ ગા. ગુરૂની સ્તુતિવડે પાપનો નાશ કરી શુદ્ધબુદ્ધિ પ્રકટ કર. ગુરૂના ઠપકાઓને સહન કર. ગુરૂના આશયને જાણું અને ગુરૂથી કંઈપણ છાનું ન રાખ. ગમેતેવા ગુરૂ હોય પણ હે શિષ્ય હારે એ ધમ છે કે તું ગુરૂને દેવ માની તેમની આરાધના કર. ગુરૂ હારા માટે ગમે તે અભિપ્રાય બાંધે વા તારી ફજેતી કરે પણું તું તે માટે ખુશી થા. કારણ કે ગુરૂ હને તાવે છે અને સુવર્ણની પિડે કસી. જેવે છે. હાર નામરૂપ ભૂલાય તે માટે ગુરૂ સર્વ કરે છે એમ માનીને નામરૂપની અહંવૃત્તિને ભૂલ ગુરૂજી હને સર્વ ઠેકાણે ફજેત કરે છે અને બહુ દુઃખ આપે છે એમ જાણે તો પણ તે સર્વ શ્રેય માટે કરે છે એ નિશ્ચય કર. કારણ કે હારા એવા શુદ્ધનિશ્ચયથી ગુરૂદેવના મનને અને પ્રવૃત્તિને તે અનુકુલ કરી શકીશ અને તેથી તું અનેક તપ જપ કરતાં અનંતગુણ ફલને પ્રાપ્ત કરી શકીશ. હે શિષ્ય હારે જે ગુરૂની સાથે તન્મય બનવું છે તે કદી ગુરૂને દેષ વાંક ભૂલ દેખવાનું સ્વપ્ન પણ લાવીશ નહીં. ગુરૂજીમાં સર્વ સારૂં જેવાના અભ્યાસથી હાર આત્મા શુદ્ધ થંવાને અને તેથી ગુરૂના આત્મામાં હારે ધ્યેયવૃત્તિ પ્રમાણે સ્વરૂપ દેખી શકીશ. જે પરમાત્મદેવ આપી શકે છે. તેજ ભક્તિ વડે ગુરૂ આપી શકે છે એવો હાર નિશ્ચય ગુરૂપર છે તે તે દેવની પેઠે તારવાના જ. એમાં શંકા નથી. જીવતા બ્રહ્મરૂપ ગુરૂને દેખી રોમેરેામે હર્ષ પામ, તેમનાં પરમાત્મા દષ્ટિથી દર્શન કર. તેમના શરીર દ્વારા ગુરૂનો આત્મા અનુભવી શકાશે, માટે ગુરૂના શરીરની સેવા ચાકરી કર. હું જે ગુરૂ માન્યા છે તે પ્રમાણે દુનિયાના કે ન માને અને તેથી વિરૂદ્ધ માને તે પણ તું અશ્રદ્ધાળુ ન બને ત્યાર આત્માની અને ગુરૂના આત્માની વચ્ચે માયાશક્તિ પિતાને પડદો નાખે છે તેથી તુ ગુરૂના આત્માને દેખ પણુ માયાના પડદાને ન દેખ. માથાના ભૂલા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59