________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષ
૫૩
~~ ~ ધારણ કરે છે તેઓ હજી પરસ્પર શિષ્યોની ફરજમાં કંઈ પણ સમજ્યા નથી. જેવું સમજે છે તેવું રહેણમાં મૂકીને બતાવે છે તેઓ સદ્ગુરૂના શિષ્યોની પરસ્પરની સાહાટ્યકર્તવ્ય કર્મ ફરજ બજાવનારા જાણવા. પરસ્પર સાહાટ્ય કરનારાઓ પર ગુરૂની કૃપા પ્રસન્નતા ખરેખર પ્રત્યક્ષ વા પક્ષમાં વ છે અને તેથી શિષ્યનું કલ્યાણ થાય છે.
___७८ शिष्यधर्मयुक्ताः શિષ્યધર્મો છે જે હોય તેઓથી યુક્ત શિષ્યો કહેવાય છે. શિષ્યની ફરજોને ધર્મરૂપ કહેવામાં આવે છે કારણ કે તેથી શિષ્યને આત્મા ગુરૂપ બનવા સમર્થ થાય છે. શિષ્યધમે જે જે કહેવાયા અને જે જે કહેવાના બાકી રહ્યા તે સર્વથી યુક્ત શિષ્યો બને છે. શિષ્યને ધર્મ અદા કર્યાવિના શિષ્ય કદાપિ ગુરૂ બની શકતું નથી. જેની દેવામાં અને ગુરૂમાં એકસરખી પુજ્ય બુદ્ધિ હોય છે તેને અકથિતાઈને પણ બંધ થાય છે તેના હૃદયમાં દૈવીશક્તિ પ્રગટે છે અને તે સર્વને પૂજ્ય બને છે. માટે શિષ્યો સદા શિષ્યધર્મયુક્ત રહે છે.
७९ देवगुरुधर्मसाधकाः शिष्याः मङ्गलमयासन्ति. દેવગુરૂ અને ધર્મની સાધના કરનારા શિષ્ય સ્વયંમંગલમય હોય છે એ સૂત્રથી પ્રાંતમંગલને નિર્દેશ કર્યો છે. દેવગુરૂ અને ધર્મ છે તે મંગલરૂપ છે અને તેથી તેની સાધના કરનારા શિષ્યો પણ મંગલરૂપ બને છે. દેવગુરૂ અને ધર્મની સાધના કરનારા શિષ્યોમાં ગુરૂદેવધર્મભાવ વિકસે છે અને તેમાં સંયમરૂપે બનેલા શિષ્યો સર્વમંગલની માલારૂપ બની પરમસુખના ભોક્તા બને છે. દેવગુરૂધર્મારાધકગૃહસ્થ તથા ત્યાગીશિષ્યો પરમ મંગલમય છે. इत्येवं अहं ॐशान्ति. ३
મુ. પેથાપુર, સં. ૧૮૭૩ શ્રાવણ સુદિ દિતીયા. શનિવાર
For Private And Personal Use Only