________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ.
જને અત્યંત ઉપકારી છે, અને ગુરૂજને આ ભવ ભભવ ઉપકારી છે તેવા ગુરૂ પ્રતિ ભક્તિ વિનાને અને કઈ પણ રીતે સંતોષ નહિ આપનાર શિષ્ય તે ત્યાગ કરવા લાયક છે.
માતાપિતા ઉપકારી સ્વામી, શેઠ, વૃદ્ધ જનેને જે અભક્ત હોય છે તે ગુરૂઓને ઉપકાર જાણુને તે પ્રમાણે વર્તવા શક્તિમાન થતું નથી, માટે તેવાને શિષ્ય ન કરે. કદાપિ શિષ્ય કરે હેય તે તે સુધરે એ તેની રહેણથી અનુભવ આવે તારે તેને શિષ્ય કરે. જે માતા, પિતાદિ ગુરૂજનને ઉપકાર અને તેઓની પૂજા કરવા સમર્થ થયે- નથી તે ગુરૂવરની પૂજા, ભક્તિ, સેવા કરવા શક્તિમાન થતો નથી. માતા પિતામાં જેને પ્રેમ લાગણી નથી તેને ગુરૂપર પ્રેમ લાગણી પ્રકટી શકે નહીં. જે માતા પિતાની આજ્ઞાને તિરસ્કાર કરે છે અને તેઓને સંતાપે છે, ગુરૂની આજ્ઞાને ભંગ કરી તેઓને સંતાપ્યા વિના રહેતું નથી માટે ગુણીને શિષ્ય કરવાની જરૂર છે અને માતા પિતાદિને અભક્તજન શિષ્ય થવા આવે તે તેને ત્યાગ કરે.
६३ मातृपितृगुरुजनोपकारलोपकः
માતાપિતા ગુરૂજનોના ઉપકારને લોપ કરનાર શિષ્ય ત્યાગ કરવા લાયક છે, માનાએ અનેક ઉપકાર કરેલ તેનો લેપક તેમજ પિતાએ અનેક રીતે લાલનપાલણ કરી ભણી ગણવી અનેક રીતે સંતેણી લાયક બનાવ્યા બાદ પિતાના ઉપકારને ઘાતક વા લેપક તથા ગુરૂજનોએ મહેનત કરી પ્રેમભાવ રાખી વહેવાર નિશ્ચયમાં પ્રવીણ કરી ગુરૂજનના નામથી પ્રતિષ્ઠા પામેલ હોય છતાં અનેક રીતે ગુરૂજનના ઉપકારને લોપક શિષ્ય અન્ય બીજા સારાં કાર્ય કરતા હોય પણ તેને ત્યાગ કરવો તેજ અતિશ્રેયસાધક છે.
માતાપિતા ગુરૂજનો લોકિક ઉપકારી તીર્થ ગણાય છે. જે માતાપિતા ગુરૂજના ઉપકારને લેપ કરે છે તે ધર્મ પ્રાપ્ત કરવા લાયક ઠરતે નથી. ગૃહસ્થ વર્ગો તથા ત્યાગીવર્ગ શિષ્ય લેભામાં પડી શિષ્યની યોગ્યતા વિના શિષ્ય કરીને દુનિયામાં અશાંતિ અધર્મને ફેલાવે કર્યો છે. જે કરેલા ઉપકાર વગેરેને લેપ કરે છે અને કુતળું બને છે તેને વિધા ધર્મ વગેરે તત્વ ના આપવાં જોઈએ. યોગ્યતા વિના “અયોગ્યને વિદ્યાધર્મ આપ્યાથી વિશ્વમાં અધર્મની ઉત્પત્તિ થાય છે. અને ગુરૂજનેને નાશ થાય છે જે વિદ્યાગુરૂ
For Private And Personal Use Only