Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ ધર્મગુરૂ, ત્યાગીગુરૂના ઉપકારનું વર્ણન કરતો નથી ઉલટું, તેઓ અપકાર કરનાર છે. કંઈપણ સમજતા નથી. ભોળા ભૂખગુરૂ છે, તેમને ગતાગમ પડતી નથી એમ પિતાના રાગીઓને આગળ કહી પિતે શ્રેષ્ઠ બનવા જાય છે તે મુખ કૃતળી કુશિષ્ય કુભક્ત કરે છે અને તે કર્યું તેવું અને પામી મહાદુઃખી થાય છે. ગુરૂને બાળે છે તે બળે છે અને ગુરૂ ને ઠારે છે તે કરે છે. વાવશો તેવું લણશે, કરશે તેવું પામશે. જેવાં કર્મ કરશે તેવાં ભેગવશે. કુશિષ્યો ગુરૂઓને વારંવાર સંતાપ્યા કરે છે અને તેઓ ગુરૂઓને પિતાના તાબે કરવા ઈચ્છે છે તેવા કુશિ ભરીને દુર્ગતિમાં જાય છે અને આ ભવમાં પણ તેઓ સુખશાંતિ સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. ६४ लज्जादिगुणरहितः જેનામાં લજા નથી, કૃતજ્ઞતા નથી, સરલતા નથી, શુદ્ધબુદ્ધિ અને દક્ષતા નથી, ગુરૂ પાતંત્ર્ય પ્રવૃત્તિ નથી, ગુરૂની પ્રસન્નતા મેળવવાની કાળજી નથી, ગુરૂ સંબંધી ખાસ લાગણી નથી, ગુરૂની સાથે અંતરથી મેળ નથી, જેના હૃદયમાં સમર્પણ ભાવ નથી તે ગુરૂને શિષ્ય થવા આવે તે પણું તેને ત્યાગ કરવો જોઈએ. જેનામાં લાજ હોય છે તે ઠેકાણે આવી શકે છે. લાજ વિનાને નાગે મનુષ્ય ગુરૂની આગળ ભાંડના જેવી ચેષ્ટા કરે છે અને તેનાથી ઉલટા અન્ય મનુષ્ય અધર્મ પામે છે. જેનામાં લજજાદિગુણ નથી તે મનુષ્યની ગણતરીમાં ગણાતું નથી તે તે શિષ્ય કયાંથી બની શકે. નાગે, નફફટ મનુષ્ય ગુરૂને ધમધમાવે છે અને હજારે પ્રકારના ઉત્પાતે કરે છે, તે પિતાની મરજી પ્રમાણે વર્તે છે અને ગુરૂને પણ બેબાકળા કરવા પ્રવૃત્તિ કરે છે. બાવળના કાંટા સમા તથા પરદેશી થુવર સમાન તેવા શિથોને ત્યાગ કરવો એજ હિતશિક્ષા છે. ६५ भ्रमितबुद्धिः ની ક્ષણે ક્ષણે અન્યમનુષ્યોના કહેવાથી બુદ્ધિ ફરી જાય છે તે બ્રમિતબુદ્ધિશિષ્ય જાણ. જે કાનને કા, અક્કલનો દુશ્મન અને હૃદ અને અન્ય તથા અન્યની બુદ્ધિ પ્રમાણે ચાલનારે હેય છે તે મિતબુદ્ધિ, ત્રણ પાયાને મનુષ્ય ગણાય છે. ગંગાએ જાય તે ગંગાદાસ અને જમનાએ જાય તે જમનાદાસ જે બને છે. જે મનુષ્ય જેવું ભરમાવે છે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59