Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪. શિષ્યોપનિષદ ६९ अपरिचितः જેનું કુલ અપરિચિત હોય, જેને વંશ અપરિચિત હોય, જેના વિચારે અને આચારે અપરિચિત હોય, જેની પ્રકૃતિ અપરિચિત હોય, જેને બહુકાલ સાથે વસીને પરિચય ન કર્યો હોય તથા જે ગુરૂના વિચારોથી અને આચારોથી અપરિચિત હોય, ગુરૂની પ્રકૃતિથી અપરિચિત હોય, ગુરૂના ગુણથી અપરિચિત હોય, ગુરૂને અને પિતાને મેળ મળે છે કે નહિ, તેનાથી જે અપરિચિત હોય તેવો મનુષ્ય શિષ્ય કરવા ગ્ય નથી, અનેક કારણથી મનુષ્ય શિષ્ય થવા આવે છે પરંતુ બહુપરિચયમાં આવ્યા વિના તે અને તેના ગુણ દોષ જાણ્યા વિના શિષ્ય કરવાથી અનેક દુઃખોના ભેગી ખરેખર ગુરૂઓને થવું પડે છે. દેશ, કુલ, જન્મભૂમિ, જાતિ, આચાર અને વિચાને બહુપરિચય કરવાથી મનુષ્યના ગુણ દોષની પરીક્ષા કરી શકાય છે. સનું જોવું કસી અને મનુષ્ય જેવું વસી ” એ કહેવત પ્રમાણે મનુષ્ય પિતાના સહવાસમાં ઘણું કાળ સુધી આવે છે તે તેના ગુણદોષને અનુભવ થાય છે. તે વિના એકદમ કેઈને શિષ્ય કરવાથી ઘણે પસ્તાવો થાય છે. જ્યાં જતિવેર હોય. વર્ણભેદે, દેશભેદે, ધમભેદે જ્યાં સ્વાભાવિક પરસ્પર વૈર દ્રોહ જેવી દશા થઈ હોય ત્યાં બહુપરિચય કરીને શિષ્ય કરવાની જરૂર પડે છે. અન્યથા પિતાને નાશ થાય છે. શિષ્ય લાભથી જેઓ અપરિચિત મનુષ્યને શિષ્ય કરે છે તેઓ સ્વપરને લાભ સમર્પી શકતા નથી. જેના ગુણોને અને દેષોને પરિચિત કરવામાં આવે છે અને જેની પ્રકૃતિને પરિચય કરવામાં આવે છે, તેના જીવન સંબંધી ભવિષ્યને વિચાર કરી શકાય છે અને તેને સુધારવા સંબંધી નિશ્ચય કરી શિષ્ય કરવા પ્રવૃત્તિ કરાય છે તે તે લેખે આવી શકે છે. અપરિચિતમનુષ્ય શિષ્ય કરવા યોગ્ય નથી. ૭૦ જુનાગપરીક્ષા જે ગુણોને અને અવગુણોને ભેદ પાડીને પરીક્ષા કરવા સમર્થ થત નથી તે ભક્ત શિષ્ય બની શકતો નથી. ગુણે કયા અને અગુણે કયા અર્થાત દોષ કયા તેને જે ભેદ સમજી શક્યું નથી, તે ગુરૂમાં અને અગુરૂમાં ભેદ છે એવું જાણું શકતો નથી, તથા શિષ્ય અને અશિષ્ય કોણ કહેવાય તેનું સ્વરૂપ જાણી શકતો નથી માટે તેવા મનુષ્યને શિષ્ય કરવામાં અને અજ્ઞાન પશુને શિષ્ય કરવામાં કંઈ વિશેષ નથી. જે ગુણગુણનો અપરીક્ષક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59