________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શિષ્યોપનિષ
પિતાની માન્યતા. ગુરૂથી ભિન્ન મનાવવાનું પૂજાવાનું નથી ત્યાં શિષ્યપણું સિદ્ધ થાય છે. ગુરૂથી ભિન્ન પિતાની કીર્તિ, પૂજા, માન્યતા, સુખની આશાને જેણે ત્યાગ કરેલે છે તથા ગુરૂમાં પિતાનું નામરૂપ આત્મા સમાવ્યું છે, તે ગુરૂની આજ્ઞા પાળવામાં કોઈ જાતને વિચાર કર્યા વિના સદા પ્રવૃત્તિ કરે છે. સૂત્રમાં જણાવ્યા પ્રમાણે શિષ્યદશા આવ્યા વિના કોઈ ગુરૂને સત્યભક્ત વા શિષ્ય બની શકતો નથી. આશા વગેરે સર્વને ગુરૂમાં લય કર્યા વિના ગુરૂની આજ્ઞા પાળવામાં ભેદભાવ રહે છે. માટે જે અવિચારણીય ગુર્વાજ્ઞા છે એમ વર્તનમાં મૂકી સદા સિદ્ધ કરી બતાવે છે તે ગુરૂને શિષ્ય બની શકે છે.
२५ गुरुपरंपराप्रवर्तकः જે ગુરૂપરંપરાગત સદ્વિચારાચારને પ્રવર્તક છે તે શિષ્યપદને અને ધિકારી બને છે, શિષ્ય થતાં પૂર્વે ગુરુપરંપરાના વિચારે અને સદાચારેને ગુરૂગમપૂર્વક અનુભવ મેળવવો જોઈએ. ગુરૂપરંપરાપ્રવર્તકમાં ગુરૂ ભક્તિ અને ગુરૂં શ્રદ્ધા તથા ગુરૂ પૂજ્યતા હોય છે. ગુરુ બ્રહ્મની મહત્તાને જેણે અનુભવ કર્યો હોય છે તે ગુરુપરંપરા પ્રવર્તક બને છે. વિનયી-શ્રદ્ધાળુ મનુષ્યમાં ગુરુપરંપરા પ્રવર્તકત્વગુણ પ્રાપ્ત થાય છે માટે તે શિષ્ય થવાને લાયક બની શકે છે.
२६ गुरुस्वसर्ववृत्तांतनिवेदका
જે પિતાના ગુરૂને પિતાના સર્વ વૃત્તાંતનું નિવેદન કરે છે તે શિષ્ય બની શકે છે. ભૂતકાળમાં જે જે વિચાર કર્યા હોય તથા જે જે શુભાશુભ પ્રવૃત્તિઓ કરી હોય તે નિંદભપણે ગુરૂને જણાવનાર હોય તથા વર્તમાનમાં જે જે વિચારે તથા પ્રવૃત્તિ કરાતી હોય તે ગુરૂને જણાવનાર જે હોય, તે ગુરૂને ભક્ત-શિષ્ય બની જાવાને અધિકારી બને છે. મનમાં જે જે વિચારે પ્રગટે તે ગુરૂને જણાવનાર યોગ્ય શિષ્ય બની શકે છે. ગુરૂની આગળ દરરોજની પ્રવૃત્તિ કથવી જોઈએ. ગુરૂના હૃદયની સાથે સ્વહદયને મેળવીને જે પ્રવર્તે છે તે હાર્દિકશિષ્ય બની શકે છે. ગુરૂને સ્વવૃત્તાંત નિવેદવાથી હૃદયની શુદ્ધિ થાય છે તથા બાહ્યાચારની શુદ્ધિ થાય છે. જ્યાંસુધી ગુરૂને સ્વરાંત કર્થવામાં હૃદય સંકેચાય છે, ત્યાં સુધી હૃદયથી ગુરૂને શિષ્ય બનવાને કેઈ અધિકારી
For Private And Personal Use Only