Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ-૧ ()
ભજનવિદ્યા કેન્દ્ર જરૂરિયાતો અને જીવનદષ્ટિ ૧. અભ્યાસ ગૃહ ગ્રંથાલય, અધ્યાપક-નિવાસ, વિદ્યાર્થીગૃહ, સંગીત-સાધનો. ૨. ભાષાવિદ્ તેમજ અધ્યાત્મ-સંકેતોના મર્મજ્ઞ અધ્યાપક
કાર્ય : અભ્યાસની સામગ્રી એકત્રિત કરી સાચી વાચના તૈયાર કરવી તથા વાણીમાં વાચ્યાર્થથી માંડી રહસ્ય-દર્શન સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ
કરાવવો. ૩. મંત્ર, છંદ, પદ તથા ભજનના શુદ્ધ ઉચ્ચાર અને અસલ ઢાળના જાણકાર,
ગાયક અધ્યાપક : કાર્ય : મંત્રોચ્ચાર, છંદગાન તેમજ ભજનોને પદ્ધતિસર અને પ્રાણવાન
રીતે રજૂ કરવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવી. ૪. સંગીતજ્ઞ સ્વરનિયોજક અધ્યાપક :
કાર્ય : નિયત કરેલી અભ્યાસ-સામગ્રીને સ્વરબદ્ધ કરી આપવી તથા વાણીમાં રહેલા સંગીત તત્ત્વનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું. અભ્યાસક્રમ : ઉપરના અભ્યાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ત્રણ અધ્યાપકો દ્વારા ઋષિવાણી, સંતવાણીના અભ્યાસની જોગવાઈ કરવી. અભ્યાસ માટે ત્રણ મહિનાનો સમય ફાળવવો તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓનાં નિવાસ
તેમજ ભજનોના ખર્ચનો પ્રબંધ કરવો. ૬. જાહેર કાર્યક્રમો : અભ્યાસ પૂરો થયા પછી અધ્યાપકો-વિદ્યાર્થીઓ દ્વારા
આ સંકલિત ને સ્વર-નિયોજિત વાણીના જાહેર કાર્યક્રમો યોજવા. સ્વરાંકન સહિત પુસ્તિકાઓ પ્રગટ કરવી. કાર્યક્રમો પાછળ રહેલી જીવનદષ્ટિનો પરિચય કરાવવો. આ માત્ર મનોરંજન નથી પણ સંસ્કારઘડતર અને
સંસ્કૃતિ-નિર્માણ માટે વાયી ઉપાસના છે તેની જનતાને સમજ આપવી. ૭. આચારનિષ્ઠા : એકાંતમાં ચાલતા ઊંડા અભ્યાસ અને લોક સમુદાય વચ્ચે
યોજાતા કાર્યક્રમોમાં સત્યપૂત અને આનંદવર્ધક સરવાણી વહેતી રાખવાની
જવાબદારી આ કાર્યને વરેલા સહુ કોઈની છે. વાણીનાં મર્મદ્વાર ખોલતી ૨૪૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org