Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 279
________________ મધ્યકાલીન જૈન કથાઓ'ની પુરાતન વાવનું જળ પીતાં મેં ભાયાણીસાહેબ પર પત્રો લખ્યા એ ‘ઉદ્દેશ’માં પ્રગટ થયા. મારે એ વિશે એટલો જ ખુલાસો કરવાનો છે કે બીજા પત્રને અંતે મેં સાહિત્ય પરિષદ અને અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓ વિશે જે લખ્યું છે તે ટીકા કરવાની કે ઉતારી પાડવાની દૃષ્ટિથી નથી લખ્યું. દૈવત એટલે જીવનના ધબકારથી નવો પ્રાણ સીંચતી પ્રવૃત્તિઓ. પરિશિષ્ટ-૪ (સંદર્ભ : પત્ર ૪૬) પ્રતિભાવ મને એમ થાય છે કે રામાયણ, ભાગવતની પારાયણો થાય છે તો આપણાં મહાકાવ્યોની કેમ ન થાય ? તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નિયમિત રીતે વિશ્વનાં શ્રેષ્ઠ સર્જનોનો પરિચય કરાવતી ગોષ્ઠીઓ કેમ ન યોજી શકાય ? સામાન્ય પ્રજાને આવા ગંગાપ્રવાહનો લાભ કેવી રીતે મળે તેવી યોજના ઘડી કાઢવી જોઈએ. હમણાં ‘સુન્દરમ્ એટલે સુન્દરમ્' આપણા ઉત્તમ કવિની સૌન્દર્યસૃષ્ટિમાં લટાર મારતાં તેમનાં સ્વપ્રો નજર સામે તરવરી રહ્યાં. આ પત્ર સાથે- યોગ્ય લાગે તો પાનાં ૪૧-૪૨ પ૨ આવેલી સુન્દરમ્ વાણી ઉતારશો. મારું તો એટલું જ કહેવાનું છે કે આપણે પોતે એકડો નહિ ઘૂંટીએ તો સરવાળે મૂળગી ખોટ ભોગવવી પડશે. મારા પત્રમાં આ વ્યથા છે,ક્યાંયે આરોપઆક્ષેપ અભિપ્રેત નથી એની ચોખવટ કરવા વિનંતિ છે. હમણાં તો વર્તમાનપત્રો વાંચવામાંથી પણ મન ઊઠી જાય છે. આપણી વચ્ચે દૃષ્ટિભેદ-મતભેદ હોઈ શકે પણ ચર્ચાપત્રોમાં જે ગૌરવ હોવું જોઈએ તે જોવા નથી મળતું. જેને મેં સાચા જીવનનો ધબકાર કહ્યો તે થોડા સમય પહેલાં શૂદ્રકના ‘મૃચ્છકટિક’માં સંભળાયો. ‘નંદિગ્રામ‘માં એના વાચન પછી શૂદ્રક વિશે ઘણી માહિતી એક મિત્રે શોધી આપી. અંતમાં પેલો શ્લોક અને તેનો અનુવાદ આપી રજા લઉં. ૨૫૪ ‘દીનાનાં શ્વવૃક્ષ:, સ્વશુળતનત:, સપ્નનાનાં ટુવી, आदर्शः शिक्षितानां, सुचरितनिकषः शीलवेलासमुद्रः । Jain Education International For Private & Personal Use Only સેતુબંધ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318