Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 292
________________ એની અસર આજે પણ છવાઈ ગઈ છે, અને બંગાળી ‘મનેર માનુષ’ વિશે આપણા ભજનમાં કીધું છે ‘એ જી જેને લાગ્યાં શબદુંના બાણ બાણ તો લાગ્યાં જેનાં અંગડાં વીંધાણા એનાં નેણામાં ઘૂરે રે નિશાણ...' એની આંખોમાં નિશાણ ઘૂરે છે- આ એક રીતે; બીજું - વધુ કહીએ આપણી ગામઠી વાણીમાં તો ‘વાગ્યા શબદુંના બાણ, કલેજાં વીંધાણા એના, મનડાં વીંધાણાં એનાં...' જે મનથી વીંધાયા હોય, હૃદયથી વીંધાયા હોય એનામાં જ વાણી પ્રગટ થાય, સત્યપૂત વાણી. પાતાળના પાણી જેમ ફૂટે ને ! એમ વાણી ફૂટે છે, ભાઈ ! જેમ પાણીની સરવાણી છે એમ જ વાણીની પણ સરવાણી છે. જ્યારે માણસ હૃદયને ભેદે છે ને ! ત્યારે હૃદયના ભેદમાંથી વાણી નીકળે છે; એ છે આદિકવિની જ વાણી. કવિવર ટાગોરે બહુ સુંદર શબ્દ વાપર્યો છે વાણી માટે : ક્રૌંચ પક્ષી વીંધાયું; વાલ્મીકિનું હૃદય ચીસ પાડી ઊઠ્યું : ‘છંદોબાણ વિદ્ધ વાલ્મીકિ’. વાલ્મીકિ છંદના બાણથી વિદ્ધ છે તો રામાયણ મળ્યું આપણને, રામની કથા મળી આપણને. જ્યારે માણસ વીંધાય છે ત્યારે એનો એક ઝરો પ્રગટ થાય છે વાણીનો. એ વાણી અસ્ખલિત વહેતી જાય, એ અટકતી નથી. આપણો એક દુહો કહે છે ને ‘જેની સરવાણી સાચી હોય ઇ દુકાળે ય ફૂંકે નહીં (પણ) જેનાં પેટ જ પાપી હોય, એની ભખ ન દૂઝે-ભેરિયા.’ ઘણીવાર મને થાય છે કે વાણી-સદાય વહેતી રહે, સદાય નવી-નવેલી રહે, એનો વિશાળ પ્રવાહ વહેતો થાય. પણ એમ કેમ નથી બનતું ? મારી એક વેદનાય વ્યક્ત કરું આપણા ગુજરાતના સમર્થ સાહિત્યકાર મિત્રો સામે, બે કથા થઈ, પાંચ થઈ, પછી આવર્તનો ચાલ્યા કરે, પુનરાવર્તનો ચાલ્યા કરે, નવું ન મળે, નવો પ્રાણ ન મળે. જેની એક ધારી બંધાઈ ગઈ, શિખરે પહોંચી ગયા એણે શિખરને જ જોયું... એ શિખરને જ જોયા કરે, પોતાને જ જોયા કરે. એક આપણી મોટામાં મોટી જો ઉણપ હોય તો તે સેલ્ફ ઇન્ડલ્સન્સ (આત્મ મૌગ્ય)... સેતુબંધ Jain Education International For Private & Personal Use Only ૨૬૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318