Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૨) આ ભજનોને સુયોગ્ય રીતે ગાતી ભજન મંડળીની સ્થાપના. તેના જાહેર
કાર્યક્રમો, કેસેટ વિતરણ. આ પ્રવૃત્તિનો પ્રારંભ ક્યારથી ? કેવી રીતે ? (૩) ભજનના અભ્યાસીઓ, ગાયકો અવાર-નવાર મળે તથા નવી વસ્તુ મળી હોય તેના પ્રકાશમાં સંશોધન મૂલવતા રહે તે માટે શું કરવું?
બીજી બેઠક તારીખ ૧૪-૮-'૮૮, સમય બપોરે ૪ થી ૭.
ભજનગાન - આમંત્રિત ભજનિકો દ્વારા નાથપરંપરાનાં યોગપરક ભજનો તથા નાથ બાવાઓનાં ભરથરી-ગોપીચંદ વિષે ગવાતાં ભજનોની વાનગી. કબીર, નિર્ગુણ સંતો તથા ભાણ-રવિ-મોરાર પરંપરાના સંતોની વાણીમાંથી વીણેલાં ભજનો.
સ્થાનિક ભજનિકોની પસંદગીનાં ભજનો.
તારીખ ૧૫-૮-'૮૮, સમય સવારે ૯ થી ૧૨
પહેલી બેઠક
ચર્ચા-વિચારણા માટે મુદ્દાઓ (૧) નંદિગ્રામે તૈયાર કરેલા ભજનના અભ્યાસક્રમ પર વિચારણા. (૨) “સંત-ઋષિ-સદનની સ્થાપના અંગે સલાહ સૂચના. (૩) ભજન-પ્રવૃત્તિમાં નવો પ્રાણ જગાડવા માટે સ્વતંત્રપણે જે કાંઈ સૂઝે તેની રજૂઆત તથા એના પર ગોષ્ઠી.
બીજી બેઠક તારીખ : ૧૫-૮-૮૮, સમય બપોર ૪ થી ૭
ભજનગાન આમંત્રિત ભજનિકો દ્વારા મારગી પરંપરા, મુસ્લિમ સંતોની વાણી, ખોજા સંતોના ગિનાન'માંથી ચૂંટી કાઢેલાં ભજનો.
જુદી જુદી પરંપરાના સંતોની વાણીમાંથી આરાધ, સાવળ, પરજ, રામગરી, પ્રભાતિયાંની પ્રસાદી.
ભજનોમાં આવતા વિવિધ ઢાળોનો પરિચય. સ્થાનિક ભજનિકોની પસંદગીનાં ભજનો.
સ માં ૫ ન
સેતુબંધ
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org