Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આપતો સંદર્ભગ્રંથ પણ તૈયાર કરીને મૂકીશું. ત્રીજા તબક્કે પદ-ભજનનો એક બૃહદ સંચય ગ્રંથશ્રેણીના રૂપમાં પ્રગટ કરવા વિચાર્યું છે. અને પછીના છેલ્લા તબક્કે પરંપરાગત રીતે ગવાતાં પદનાં સ્વરાંકનો પણ આપીશું. અકાદમી આ ગંજાવર કાર્ય માટે શક્ય તે બધાં જ ગતિશીલ ક્રિયાત્મક પગલાં લેશે.
પૂ. ભાયાણીસાહેબનો આ યોજનાના માનાર્ય સંપાદક તરીકે તથા માર્ગદર્શક તરીકે સંપૂર્ણ સાથ-સહકાર છે. અને આ ક્ષેત્રની અન્ય વ્યક્તિઓ પાસેથી પણ સૂચીકરણની સહાય લેવામાં આવે છે. અને આ કામ થોડું આગળ વધશે તે પછી સંસ્થા તરીકે વ્યક્તિગત ભજનિકો અને ભજનમંડળોનું સર્વેક્ષણ હાથ ધરી ધ્વનિમુદ્રણ કરાવીશું. અમદાવાદમાં રાજશ્રી ઈલેકટ્રોનિક્સ દ્વારા ભજનની બસો (૧૦૦) જેટલી કેસેટ્સ તૈયાર થયેલી છે તે છપાયેલા પદ સંગ્રહની જેમ સૂચીકરણના એક સાધન તરીકે ઉપયોગમાં લેવાનું પણ વિચાર્યું છે. વિવિધ પ્રવાસ અને કાર્યક્રમો નિમિત્તે મારે ક્યાંક જવાનું થાય છે ત્યારે, કે એવી કોઈ વ્યક્તિ અકાદમીની મુલાકાતે આવે છે ત્યારે, થાય તેવાં ધ્વનિમુદ્રણો તો હું કરી જ લઉં છું. આથી આ સંમેલનમાં પણ જો કેટલાંક ધ્વનિમુદ્રણો થઈ શકે તો ઉપયોગી બને. અમે આવીશું ત્યારે રેકોર્ડર તથા કેસેટસ લાવીશું અને આપની અનુમતિ તથા અનુકૂળતા હશે તો ધ્વનિમુદ્રણ પણ કરીશું.
આ યોજનાના ફલક અને કાર્ય એટલાં વિશાળ છે કે, મળ્યાં તે સાધન, સમય, શક્તિ અને સંજોગ ઉપયોગમાં લઈએ તો હકીકતે ભગીરથ એવું આ કાર્ય એક દશકા સુધીમાં જરૂર પૂરું કરી શકીએ. આપનો તથા આપની સંસ્થાનો અમને ઉષ્માભર્યો સાથ-સહકાર મળશે જ. એવી અપેક્ષા જ નહીં શ્રદ્ધા સાથેઆપનો સહૃદયી,
હસુ યાજ્ઞિક
સેતુબંધ
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org