Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 51
________________ શયન ચિકિત્સા આ ગર્ભાધાન પ્રક્રિયામાં શયન ચિકિત્સાનું ઘણું મહત્વ છે કારણકે તેની સીધે સીધી અસર માતાના આચાર વિચાર અને સ્વાથ્ય ઉપર થાય છે.શયનગૃહને મધમધાયમાન થતા સુગંધી અને તાજા પુષ્પોથી સજાવવા અને સરસ સુગંધી ધૂપથી વાસિત કરવા પાછળનો આશય વાતાવરણને પવિત્ર રાખવાનો છે.એક પવિત્ર આત્માનું અવતરણ જ્યાં કરવાનું છે તે સ્થાન પણ અતિપવિત્ર જોઇએ.એવા વાતાવરણમાં માતા પિતાના વિચારો પણ પવિત્ર બને.પ્રભુના જીવનું અવતરણ થવાનું હોય તો તેની પૂર્વ તૈયારી રૂપે તેમની માતાની શય્યા કેવી હતી તેનું વિશદ વર્ણન શ્રી કલ્પસૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિઃ ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રભુના ગર્ભનું સંક્રમણ થયું તે સમયે મધ્યરાત્રિએ અવર્ણનીય શયામાં અલ્પ નિદ્રા કરતા હતા એટલામાં તે મહાપુરુષના અવતરણને સૂચવનારા ચોદ મહાસ્વપ્નો જોઇને જાગ્યા. ત્રિશલાદેવીનું શયન મંદિર ઃ ત્રિશલાદેવી તે રાત્રિએ પોતાના અવર્ણનીય અને પુણ્યશાળી તથા ભાગ્યશાળીને શોભે તેવાં શયનમંદિર સૂતાં હતાં. તે શયન મંદિરની સર્વ ભીંતોનો અંદરનો ભાગ વિવિધ પ્રકારનાં ચિત્રોથી રમણીય લાગતો હતો. બહારના ભાગમાં ચૂનો લગાવેલો હોવાથી જાણે ચાંદની પથરાઈ ગઈ હોય એવો ભાસ થતો હતો. દીવાલો કોમળ અને ચીકણા પાષાણદિથી ઘુંટેલી હોવાથી ભૂમિભાગ સુંવાળી અને ચકચકિત લાગતી હતી. તળીયું પણ એવું જ દેદીપ્યમાન હતું. તળીયું સપાટ અને ચોતરફ રત્નો જડેલા હોવાથી રમણીય લાગતું હતું. પાંચવર્ણવાળાં મણિઓની સુંદર ગોઠવણીથી સ્વસ્તિકની રચના કરવામાં આવી હતી અને તે પણ આંખને મનોહર લાગતી હતી. સરસ અને CIFIC Jain Education International For Personal & Private Use Only ૩૮

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172