SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શયન ચિકિત્સા આ ગર્ભાધાન પ્રક્રિયામાં શયન ચિકિત્સાનું ઘણું મહત્વ છે કારણકે તેની સીધે સીધી અસર માતાના આચાર વિચાર અને સ્વાથ્ય ઉપર થાય છે.શયનગૃહને મધમધાયમાન થતા સુગંધી અને તાજા પુષ્પોથી સજાવવા અને સરસ સુગંધી ધૂપથી વાસિત કરવા પાછળનો આશય વાતાવરણને પવિત્ર રાખવાનો છે.એક પવિત્ર આત્માનું અવતરણ જ્યાં કરવાનું છે તે સ્થાન પણ અતિપવિત્ર જોઇએ.એવા વાતાવરણમાં માતા પિતાના વિચારો પણ પવિત્ર બને.પ્રભુના જીવનું અવતરણ થવાનું હોય તો તેની પૂર્વ તૈયારી રૂપે તેમની માતાની શય્યા કેવી હતી તેનું વિશદ વર્ણન શ્રી કલ્પસૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિઃ ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રભુના ગર્ભનું સંક્રમણ થયું તે સમયે મધ્યરાત્રિએ અવર્ણનીય શયામાં અલ્પ નિદ્રા કરતા હતા એટલામાં તે મહાપુરુષના અવતરણને સૂચવનારા ચોદ મહાસ્વપ્નો જોઇને જાગ્યા. ત્રિશલાદેવીનું શયન મંદિર ઃ ત્રિશલાદેવી તે રાત્રિએ પોતાના અવર્ણનીય અને પુણ્યશાળી તથા ભાગ્યશાળીને શોભે તેવાં શયનમંદિર સૂતાં હતાં. તે શયન મંદિરની સર્વ ભીંતોનો અંદરનો ભાગ વિવિધ પ્રકારનાં ચિત્રોથી રમણીય લાગતો હતો. બહારના ભાગમાં ચૂનો લગાવેલો હોવાથી જાણે ચાંદની પથરાઈ ગઈ હોય એવો ભાસ થતો હતો. દીવાલો કોમળ અને ચીકણા પાષાણદિથી ઘુંટેલી હોવાથી ભૂમિભાગ સુંવાળી અને ચકચકિત લાગતી હતી. તળીયું પણ એવું જ દેદીપ્યમાન હતું. તળીયું સપાટ અને ચોતરફ રત્નો જડેલા હોવાથી રમણીય લાગતું હતું. પાંચવર્ણવાળાં મણિઓની સુંદર ગોઠવણીથી સ્વસ્તિકની રચના કરવામાં આવી હતી અને તે પણ આંખને મનોહર લાગતી હતી. સરસ અને CIFIC Jain Education International For Personal & Private Use Only ૩૮
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy