________________
ગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૨ રીતે સુગત, કપિલ, અહંન આદિ બધા જ નિર્વાણુતત્વ હોઈ સર્વજ્ઞ છે, તે એમનામાં પંથ અને ઉપદેશભેદ કેવી રીતે ઘટે? આનો ઉત્તર આપવામાં હરિભદ્ર પિતાનું તાર્કિક બળ પૂરેપૂરું વાપર્યું છે. હરિભદ્ર ત્રણ રીતે ઉત્તર આપે છે. પ્રથમ તો એ કે જે જુદા જુદા સર્વજ્ઞ તરીકે મનાતા મહાપુરુષોનો ભિન્ન ભિન્ન ઉપદેશ છે તે વિનય અર્થત શિષ્ય યા અધિકારીભેદને લક્ષમાં રાખી અપાયેલું છે. ૨૬ બીજું એ કે એવા મહાપુરુષનો ઉપદેશ તાત્ત્વિક રીતે એક જ તાત્પર્યાવાળો હોય છે, પણ શ્રેતાઓ પિતપોતાની શક્તિ પ્રમાણે એને જુદી જુદી રીતે ગ્રહણ કરે છે, તેથી દેશના એક જ હોવા છતાં નાના દેખાય છે. ૨૭ ત્રીજુ એ કે દેશ, કાળ, અવસ્થા આદિ પરિસ્થિતિભેદને લઈ મહાપુરુષો ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુ યા અપેક્ષાવિશેષથી જુદો જુદો ઉપદેશ આપે છે, પણ એ મૂળમાં છે તે સર્વજ્ઞમૂલક જ.૨૮
હરિભદ્ર આટલું કહીને જ વિરમતા નથી. તેઓ કહે છે કે શાસ્ત્ર દ્વારા મળતું જ્ઞાન એ જેમ સામાન્ય વિષયક જ હોય છે, તેમ અનુમાન દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન પણ સામાન્ય વિષયક જ હોય છે. તેથી અનુમાનજ્ઞાન ઉપર અંતિમ મદાર બાંધી ન શકાય. દરેક વાદી પિતાના પક્ષને સિદ્ધ કરવા અનુમાનનો આશ્રય લેતો અને તેને જ અંતિમ ઉપાય માની તેના ઉપર નિર્ભર રહે છે. તેથી હરિભદ્ર ભતૃહરિના વચનને ટાંકી પિતાનું વક્તવ્યનું સમર્થન કર્યું કે એક અનુમાનથી સિદ્ધ થયેલું બીજા વિશેષ નિપુણ વિદ્વાન દ્વારા અનુમાનથી જ ખંડિત થઈ જાય છે, તે એના ઉપર પૂર મદાર કેમ રાખી શકાય ?૨૯ હરિભદ્ર આવી તર્કસરણી દ્વારા કુતર્કવાદ અને અભિનિવેશથી મુક્ત રહેવાની તાર્કિકતા દર્શાવે છે; અને, જાણે પિતાની સંતપ્રકૃતિ રજૂ ન કરતા હોય તેમ, ભારપૂર્વક કહે છે કે સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ એટલે કે તિરસ્કાર કરે આર્યોને ન શોભે, તે સર્વજ્ઞ જેવા મહાપુરુષને પ્રતિક્ષેપ તો યોગ્ય ગણાય જ કેમ? એ પ્રતિક્ષેપ યા નિંદા જિહુવાછેદ કરતાં પણ વધારે ભંડો છે.૩૦ છેવટે હરિભદ્ર સદાશિવ, પરબ્રહ્મ,