________________
૧૦૦
સમદર્શી આચાય હરિભદ્ર સજ્ઞ તરીકે માની લીધા છે. આ શું વિરાધ નથી ? મને વિચાર કરતાં લાગે છે કે એમાં કાંઈ વિરાધ જેવું તત્ત્વ નથી. જેમ પતંજલિએ • યોગસૂત્ર ’ના ચોથા પાદમાં પોતાની તાત્ત્વિક માન્યતાથી જુદી પડતી વિજ્ઞાનવાદીની માન્યતાની આલાચના કરી છે, જેમ ‘યેાગવાશિષ્ઠ ’ આદિમાં બ્રહ્માદેતનું સ્થાપન ને બીજી માન્યતાનેા નિષેધ છે, તેમ જ હરિભદ્રે પેાતાની તાત્ત્વિક માન્યતા, જે જૈન સંસ્કાર પ્રમાણે ધડાઈ છે અને જે એમને યુક્તિયુક્ત લાગે છે તે તત્ત્વદષ્ટિના વિચારમાં તટસ્થભાવે રજૂ કરી છે. એમણે એમાં અભિનિવેશ ન દાખવતાં છેવટે કહ્યુ છે કે મેં જે કહ્યું છે તે મધ્યસ્થદષ્ટિએ. જો વિદ્વાનને એ યુક્ત લાગે તે તેને વિચારે. વિદ્વત્તાનું ફળ જ એ છે કે એને આ સિદ્ધાંત મારે અને આ પારકા એવા પક્ષ હાઈ જ ન શકે. જે એને યુક્તિયુક્ત અને બુદ્દિગ્રાહ્ય લાગે તેને તે માને.૬૮
t
· યાગદષ્ટિસમુચ્ચય ’માં એમના ભાર પથે! અને દ`ના વચ્ચે ચાલતા શુષ્ક વાદને નિવારવા ભણી છે. તેથી જ તે સત્તત્વ જેવા આળા વિષયને લઈને પણ કત નિવૃત્તિની વાત કહે છે. એક જગાએ અર્થાત્ ‘ યાબિંદુ ’માં તટસ્થભાવે સ્વમાન્યતાનું નિરૂપણ છે, તો બીજી જગાએ અર્થાત્ ‘ યાગદષ્ટિસમુચ્ચય ’માં પોતાતાની માન્યતા સ્થાપવાને બહાને દાર્શનિકામાં ચાલતા વિવાદોનું નિરાકરણ અભિપ્રેત છે. તે પતે તે યાગ વિષયક પેાતાનાં લખાણામાં કાઈ સ્થળે આવેશ કે કદાગ્રહ દાખવતા જ નથી. એ એમની મધ્યસ્થતા કહેવાય.
હરિભદ્રના યોગ વિષયક અત્રે સમાલેાચિત ચારે ગ્રંથાના ઉત્તરકાળમાં કેવા પ્રભાવ પડ્યો છે, એ પ્રશ્ન સાહજિક રીતે ઊઠે જ છે. શ્રી. આનંદધને એમના આ ગ્રંથેામાંથી કાઈ ને કાઈ ગ્રંથનું ઝરણુ ઝીલ્યું હોય તેમ લાગે છે, પરંતુ ઉપાધ્યાય યશેાવિજયએ તે એમની યેાગ વિષયક બધી જ કૃતિમાં ઊંડી ડૂબકી મારી છે. આઠ દૃષ્ટિની સજ્ઝાય એ ગુજરાતી કૃતિ યાગદષ્ટિસમુચ્ચય 'નેા સાર છે, પણ તે તે જે ગુજરાતીમાં લખે તે સંસ્કૃતમાં પણ લખતા જ. તેમણે
"