Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ In પ્રસન્ન રાખવા તેઓ આકાશ-પાતાળ એક કરી નાખતા. એમના અભ્યાસથી 1 It ગુરુમહારાજને ખૂબ પ્રસન્નતા થતી. તેથી એમણે વિચાર્યું કે હું જેટલો વધુ અભ્યાસ કરીશ 1 તેટલા ગુરુમહારાજ વધુ પ્રસન્ન થશે. તેથી રાત્રે સુવુ નથી. ૨૪ કલાક અભ્યાસ કરવો.” ડૉક્ટરની સલાહ લઈ ઊંઘ ન આવે તેવી ગોળીઓ લઈ એક મહિના સુધી સતત એક પણ મટકુ માર્યા વિના ૨૪ કલાક અભ્યાસ પૂજયશ્રીએ કર્યો હતો. આજે પૂજ્યશ્રીની U A જિનશાસનમાં જે પ્રભાવકતા દેખાય છે તેના મૂળમાં આવો ગુરુસમર્પણભાવ રહેલો છે. તે # પૂજયશ્રી આજે લગભગ ૭૦ જેટલા શિષ્યરત્નોના ગુરુપદે બિરાજમાન છે. પૂજ્યશ્રીનો બ્રહ્મચર્ય ગુણ અદ્વિતીય છે. કોઈએ ક્યારેય પણ કોઈ સ્ત્રીને એકાંતમાં એમની સાથે વાત ( કરતા પાંચ મિનિટ માટે પણ નહી જોઈ હોય. પ્રભાવક્તાની સાથે એમની અંતરની જાગૃતિ I પણ ઉત્કટ કોટિની છે. તેથી જ તેઓ પ્રભાવકતાથી નિર્લેપ રહી શક્યા છે. A પ્રસ્તુત ભાવાનુવાદ પૂજ્યશ્રીએ એકદમ સરળ ભાષામાં રચ્યો છે. તેથી કોઈ , અધ્યાપકની મદદ વિના પણ અભ્યાસુ પોતે જ એનો બોધ પામી શકે તેમ છે. આ જ ભાવાનુવાદ અતિસંક્ષિપ્ત પણ નથી અને અતિવિસ્તૃત પણ નથી. તેથી વાચકવર્ગ છે. જ સહેલાઈથી તેનો બોધ પામી પોતાની અધ્યયનયાત્રા આગળ વધારી શકે છે. | પ્રાંતે આ ગ્રંથરત્ન ન્યાયાભ્યાસુઓ માટે ખૂબ ઉપયોગી બનશે. કોઈની પણ સહાયતા I વિના માત્ર આ ભાવાનુવાદની મદદથી સામાન્ય નિરુક્તિનો તલસ્પર્શી બોધ તેઓ પામી II ઇ શકશે. સહુ તેના પઠન-પાઠન દ્વારા જિન-આગમોના ઐદંપર્યાથને પામી સ્વપરકલ્યાણને ક સાધે એજ શુભાભિલાષા. P. નાના મોઢે મોટી વાતની જેમ મારું જ્ઞાન ઓછુ છે અને મેં લખી ઘણું જ નાખ્યું છે, પણ 1 તેમાં કંઈ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. મ વિ.સં. ૨૦૬૧ લિ. # તા. ૨૫-૮-૨૦૦૫ આ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણ રત્નબોધિવિજય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290