Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ જાણે અને જુઓ” તે જ બંને મુખ્ય છે. “ચિંતન, વિચાર કે પર્યાલચન કરે એ ખૂબ ગૌણ અને પ્રારંભિક બાબત છે. સાધનાના ક્ષેત્રમાં તે વધારે આગળ નથી લઈ જતાં. “આત્મા દ્વારા આત્માને જુઓ” આ અધ્યાત્મ ચેતનાના જાગરણનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. આ સૂત્રને અભ્યાસ આપણે શરીરથી શરૂ કરીએ છીએ. આત્મા શરીરમાં જ રહે છે, માટે સ્થૂળ શરીરને જોયા વિના વધારે આગળ જઈ શકાતું નથી. શ્વાસ શરીરની જ એક ક્રિયા છે. એ વાસથી આપણે જીવીએ છીએ, એટલા માટે જ સર્વ પ્રથમ શ્વાસને જુઓ. આપણે શરીરમાં જીવીએ છીએ એટલા માટે શરીરને જુઓ. શરીરની અંદર થતાં સ્પંદને, કંપને, હલચલે કે ઘટનાઓને જુઓ. તેને જોતાં જોતાં મન એટલું તન્મય બને છે, કે પછી અનેક સૂક્ષ્મ સ્પંદનેને સ્પષ્ટ અનુભવ થવા લાગે છે, પૂરું-સમગ્ર દેષચક્ર પ્રત્યક્ષ થવા માંડે છે. જે ક્રોધને જુએ છે, તે માનને જોઈ શકે છે. જે માનને જુએ છે, તે માયાને જોઈ શકે છે. જે માયાને જુએ છે, તે લેભને જોઈ શકે છે. જે લેભને જુએ છે, તે પ્રિયને જોઈ શકે છે. જે પ્રિયને જુએ છે, તે અપ્રિયને જોઈ શકે છે. જે અપ્રિયને જુએ છે, તે મેહને જોઈ શકે છે. જે મેહને જુએ છે તે ગર્ભને જોઈ શકે છે જે ગર્ભને જુએ છે તે જન્મને જોઈ શકે છે. Jain Education International For Private13Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64