Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ | ૧૩–૧૪ ભાવના અને અનુપ્રેક્ષા D. ધ્યાનને અર્થ છે પ્રેક્ષા-જેવું. તેની સમાપ્તિ થયા પછી મનની મૂછને તેડનાર વિષયનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. જે વિષયનું અનુચિંતન વારે વારે કરવામાં આવે છે અથવા તે જે પ્રવૃત્તિને વારે વારે અભ્યાસ કરવામાં આવે છે, તેનાથી મન પ્રભાવિત થઈ જાય છે. એટલા માટે જ એ ચિંતન કે અભ્યાસને ભાવના કહેવામાં આવે છે. આત્માનું મૌલિક સ્વરૂપ ચેતના છે. તેના બે ઉપગ છેઃ જેવું અને જાણવું. આપણી ચેતના આપણને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ નથી એટલા માટે આપણું દર્શન અને જ્ઞાન આરછાદિત છે, આવૃત્ત છે. તેના ઉપર એક પડદે પહેલે છે. તેને દર્શનાવરણ અને જ્ઞાનાવરણ કહેવામાં આવે છે. તે આવરણ આપણું જ મહ દ્વારા નાંખવામાં આવ્યું છે. આપણે તેને નિતાંત જાણતા નથી કે નિતાંત જોતા પણ નથી. જાણવા અને જોવાની સાથે સાથે પ્રિયતા કે અપ્રિયતાને ભાવ પણ થાય છે, જે રાગ અને દ્વેષને ઉત્તેજિત કરે છે. રાગ અને દ્વેષ મેહને ઉત્પન્ન કરે છે. મેહ જ્ઞાન અને દર્શનને આવૃત્ત કરે છે. આ ચક્ર ચાલ્યા જ કરે છે. આ ચકને તેડવાને એક જ ઉપાય છે અને તે જ્ઞાતામાવ કે દ્રષ્ટાભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64