Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ આશરણને શરણ અને શરણને અશરણ માનનાર ભટકી જાય છે. પિતાની સુરક્ષા પિતાના જ અસ્તિત્વમાં છે. સ્વયંના શરણમાં આવવું એ જ અશરણ અનુપ્રેક્ષાને મૂળ અર્થ છે. ૪. સંસાર અનુપ્રેક્ષા ? કોઈ પણ દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના ચકથી મુક્ત નથી. જેનું અસ્તિત્વ છે, જે ધ્રુવ છે, તે ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થાય છે. પાછું ઉત્પન્ન થાય છે અને ફરી પાછું નષ્ટ પણ થાય છે. પાછું ઉત્પન્ન થાય છે અને પાછું નષ્ટ થાય છે. આ ઉત્પાદ અને વિનાશને ક્રમ ચાલ્યા જ કરે છે. આ કમનું નામ જ સંસાર છે. પરમાણુ–સ્કંધ પરિવર્તિત થતા જ જાય છે. એક અવસ્થાને છેડીને બીજી અવસ્થામાં ચાલ્યા જાય છે. જીવ પણ બદલાતા જ રહે છે. તેઓ ક્યારેક જન્મ લે છે અને ક્યારેક મરે છે. તેઓ કયારેક માણસ હોય છે અને ક્યારેક પશુ પણ હોય છે. એક જીવનમાં પણ અનેક અવસ્થાઓ હોય છે. આ સમગ્ર પરિવર્તન-ચક્રનું અનુચિંતન સાધકને મુક્તિ તરફ લઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64