Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ અકિયતા છે. આ એકત્વ અનુપ્રેક્ષાના લાંબા (છ માસના) અભ્યાસથી બાહ્ય પદાર્થો પ્રત્યે થનાર પિતાપણાની મૂછને તેડી શકાય છે. આ વિવેક કે ભેદજ્ઞાનને પ્રયોગ છે. ૨, અનિત્ય અનુપ્રેક્ષા : શરીરને યથાભૂત સ્વભાવ અને તેની ક્રિયાઓનું નિરીક્ષણ કરનાર તેની અંદર થનાર વિભિન્ન સ્ત્રાવને જેવા લાગી જાય છે. શરીર-દર્શનના અભ્યાસથી શરીરમાં ઉત્પન્ન થનારી વિવિધ અવસ્થાએ સ્પષ્ટ થવા લાગે છે. સાધક વિચારે છે કે શરીર અનિત્ય છે. તે પહેલાં કે પછી, એક દિવસ જરૂર મૃત થવાનું છે, વિનાશ અને વિધ્વંસ તેને સ્વભાવ છે. એ અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે. તેને ઉપચય અને અપચય થાય છે. તેની વિવિધ અવસ્થાઓ હોય છે. શરીરની અનિત્યતાના અનુચિંતનથી શરીર પ્રત્યે થનાર તીવ્ર આસક્તિથી મુક્તિ મેળવી શકાય છે. દેહાસતિ જ બધી આસક્તિઓનું મૂળ છે. તેના તૂટવાથી બીજા પદાર્થોમાં થનાર આસક્તિ પણ આપમેળે તૂટી જવા માડે છે. ૩. અશરણ અનુરક્ષા : જે પિતાના જ અસ્તિત્વને નથી જાણતે તે ક્યાંય પણ સુરક્ષિત રહી શકતું નથી. ધન, પદાર્થ અને પરિવાર આ બધું જ અસ્તિત્વથી ભિન્ન છે. જે ભિન્ન છે તે કદી પણ રક્ષણ આપી શકતું નથી Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64