Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ જોઇએ છીએ. પછી શરીરની અંદર મનને લઇ જઈ આંતર ભાગને જોઈએ છીએ. શરીરનાં સ્થૂળ અને સૂક્ષ્મ સ્પંદનને જોઇએ છીએ, શરીરની અદર જે કાંઇ છે તેને જોવાને પ્રયત્ન કરીએ છીએ. આપણી કેષ-સ્તરીય ચેતના જે દરેક કોષની પાસે છે તેને આપણે પ્રેક્ષા દ્વારા જાગૃત કરીએ છીએ. ચેતનાના જે ભાગ સુષુપ્ત અને કુંઠિત છે, તેમને જાગૃત કરીએ છીએ. શરીરના પ્રત્યેક કણ ચિત્તના આદેશને સ્વીકારવા માટે તત્પર હાય છે કે તે જાગૃત થઈ જાય અને મનની સાથે તેનું સંબંધ-સૂત્ર જોડાઈ જાય. પરંતુ જ્યારે જાગૃત કરવાના પ્રયત્ન નથી થતા ત્યારે તે મૂર્છામાં જ રહી જાય છે. અને આવી પરિસ્થિતિમાં ચિત્તના આદેશ ત્યાં સુધી પહેાંચી શકતા જ નથી. તેએ નિષ્ક્રિય જ થઈ જાય છે. સ્થૂળ શરીરની અંદર તેજસ્ અને કર્મ આ એ સૂક્ષ્મ શરીર છે. તેમની અંદર આત્મા છે. સ્થૂળ શરીરની ક્રિયાએ અને સંવેદનાને જોવાના અભ્યાસ કરનાર જ ધીરે ધીરે તેજસ્ અને કર્મશરીરને જોવા લાગી જાય છે. શરીરપ્રેક્ષાના દૃઢ અભ્યાસ અને મનના સુશિક્ષિત થયા પછી જ શરીરમાં પ્રવાહિત થનાર ચૈતન્યની ધારાના સાક્ષાત્કાર થવા માંડે છે. જેમ જેમ સાધક સ્થૂળથી સૂક્ષ્મ દર્શન તરફ પ્રગતિ કરે છે તેમ તેમ તેના પ્રમાદ ઘટતા જાય છે. સ્થૂળ શરીરની વર્તમાન ક્ષણને જોનાર જાગૃત મની જાય છે. કાઈ ક્ષણ સુખરૂપ નીવડે છે તેા કાઈ ક્ષક્ષુ દુઃખરૂપ નીવડે છે. ક્ષણને જોનાર સુખાત્મક ક્ષણ તરફ રાગ કરતા નથી કે દુઃખાત્મક ક્ષણ પ્રત્યે દ્વેષ પણ રાખતા નથી. 29 Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64