Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ દ્રવ્યક્રિયા ચિત્તને વિક્ષેપ છે અને સાધના માટે વિન છે. ભાવકિયા જાતે જ સાધના અને સ્વયં ધ્યાન છે. આપણે ચાલીએ છીએ અને ચાલતા સમયે આપણી ચેતના જાગૃત રહે છે, “આપણે ચાલી રહ્યા છીએ”—તેની જે. સ્મૃતિ રહે છે–આ ગતિની ભાવક્રિયા છે. તેનું સૂત્ર એ છે કે “સાધક ચાલતા સમયે પાંચે ઈદ્રિના વિષય પર મનને કેન્દ્રિત ન કરે. આંખેથી કાંઈક દેખાય, શબ્દો કાન પર અથડાય, ગંધના પરમાણુ પ્રવાહિત થાય, ઠંડી કે ગરમ હવા શરીરને સ્પર્શ કરે, આ બધાની સાથે તે પિતાના મનને ન જોડે. રસની પણ સ્મૃતિ ન કરે. સાધક ચાલતી વખતે સ્વાધ્યાય ન કરે મનને સંપૂર્ણ રિક્ત-ખાલી રાખે સાધક “ચાલનાર’ ન રહે પરંતુ ચાલવું બની જાય, તમૂર્તિ (મૂર્તિમંત) ગતિ બની જાય તેનું ધ્યાન ચાલવામાં જ કેન્દ્રિત રહે, ચેતના ગતિને પૂર્ણ સાથ આપે. આ ગમનગ છે. જ્યારે ચિત્ત શરીર અને વાણીની પ્રત્યેક ક્રિયા સાથે જોડાય છે, ચેતના તેમાં વ્યાપ્ત થાય છે ત્યારે તે ભાવક્રિયા બની જાય છે. ભાવક્રિયાનું સૂત્ર છેઃ ચિત્ત ક્રિયમાણ દિયામય બની જાય. ઈન્દ્રિયે તે ક્રિયા પ્રત્યે સમપિત થઈ જાય, હદય તેની ભાવનાથી પ્રભાવિત થઈ જાય, મન તેના સિવાય બીજા કેઈપણ વિષયમાં ન જાય. આ સ્થિતિમાં ક્રિયા ભાવકિયા બને છે. ૧. જે ક્રિયા કરવામાં આવી રહી છે, તે ક્રિયાથી જ અનુપ્રાણિત થાય. Jain Education International For Private & rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64