Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 137
________________ આવ્યા પછી શું કરશો? પેલો કહે, “પછી હું પૈસા કમાઇશ.” ડોકટર થવાનો ઉદ્દેશ સેવા કરવાને ભણતા હોય ત્યારે ભલે સેવતા હોય, પણ ડેકટર થઈને પ્લેટફોર્મ પર આવ્યા પછી દરદીને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. વકીલ થઇને સમાજનાં દૂષણો દૂર કરવાની દૃષ્ટિ રાખવાની હોય, પણ વકીલ થયા પછી વધારેમાં વધારે અસીલો મેળવવા માટે જ દેવદોડ હોય છે. આમ ભણવા પાછળનો ઉદ્દેશ કેવળ વધારે નાણાં મેળવવા માટેનો જ હોય છે. અને છતાં પણ વાત તો સામ્યવાદની અને સમાજવાદની હોય છે. કોઈ પણ માણસ પોતાની જાતને જેવી છે તેવી રંજૂ કરવા આજે તૈયાર નથી. આપણી રજાઆત જાદી છે. આપણા જીવનના અભિલાષા જાદા છે. બસ અહીં જ ઘર્ષણ છે. જીવનની વિષમતાનું કારણ આ જ છે. પેલા વિદ્યાર્થી એ પણ સાધુને આવો જ જવાબ આપ્યો, “ભણ્યા પછી બધા પૈસા પેદા કરે છે. હું પણ એમ કરીશ.” સાધુએ પૂછયું, “વારુ, તમારા પૈસાની કમાણી પાછળ કંઈ મર્યાદાની કોઈ દૃષ્ટિ ખરી? વધુમાં વધુ કેટલા પૈસા મળે તે તમને સંતોષ થાય?' આ એક મોટામાં મોટો પ્રશ્ન છે. માનવીને વધુમાં વધુ કેટલા પૈસાથી સંતોષ થાય? ધંધો શરૂ કરવા માટે શહેરમાં આવનાર માણસને શરૂઆતમાં તો એમ હોય છે કે પચીસ-પચાસ હજાર કે લાખેક રૂપિયા થાય તો ગંગા નાહ્યા. પણ જે લોકો પાસે લાખ થઈ ગયા છે તેમની નજર હવે કરોડ સુધી પહોંચી ગઈ છે. અને જે લોકો પાસે એટલી રકમ થઈ ગઈ છે તેમને હવે અહીંના માણસો દેખાતા નથી. એ લોકોને ફોર્ડને રોકફેલરની સંપત્તિ યાદ આવે છે. આજે લોકોની ધનલાલસા ખૂબ જ વધી રહી છે. આવી ધનલાલસાવાળા પાસેથી દાન શું લેવું ? દાન તો વૃદ્ધ માનવી આપી શકે. પણ પોતે જ જ્યાં પૈસા પાછળ મરતો હોય ત્યાં બીજાને એ શું આપે ? ને એ આપે તોય એવી ઇચ્છાથી આપે કે એકગણું દઉં તોં મને સોગણું મળે. આ તૃષ્ણા આપણા સમાજમાં એવી ભયંકર રીતે ઘર કરી ગઇ છે કે, તમે ભાગ્યે જ એવો કોઈ માનવી જોશો કે, જે એમ કહેતો હોય કે મુંબઈમાં બેપાંચ લાખ રૂપિયા રળવા આવ્યા હતા એ મળી ગયા છે, એટલે હવે પાછા જઈએ છીએ. ગામડાંમાં શાંતિથી રહી શકતા હતા, પણ પૈસાનો ખપ પડ્યો એટલે અહીં આવ્યા હતા. હવે પૈસા મળી ગયા છે, એટલે શાંતિથી જીવવા

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172