Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 139
________________ કરીને એ પોતે મનનું સમાધાન મેળવી શાંતિ અનુભવી શકે છે. કારણ એ બે ચોપડી ભણેલા હોવા છતાં એની પાસે વિચારનું ઊંડાણ છે. બી. એ. કે એમ. એ થએલો છે, એની પાસે જીવનના ઊંડાણભર્યા વિચારો માટેનો કેઈ અવકાશ નથી. એટલે એની પાસેથી પૈસો જાય છે કે તરત જ એને એમ થાય છે કે, ફલાણો ખાઈ ગયો, હવે હું શું કરીશ ? આ વાતને એને એવો આઘાત લાગે છે કે એ ઊંચો જ નથી આવતો.' પેલા એછું ભણેલા પાસે ઓછું જ્ઞાન છે, પણ એ ઓછા જ્ઞાનને પણ અનુભવની એરણ ઉપર ચઢાવીને એણે એવું પચાવ્યું છે કે, જીવનના વિકટમાં વિકટ પ્રસંગોમાંથી પણ એ સમાધાન મેળવે છે." જ્ઞાન તે પ્રકાશ છે. એ આવે ત્યારે અંધકારે જવું જ જોઇએભલે એ અંધકાર ગમે તે પ્રકારનો હોય. પેલા સાધુ તે ખરા હતા. એમણે પૂછયું : “ડીગ્રી મેળવ્યા પછી તમે કમાશો, પૈસા મેળવશો. પણ પૈસો મેળવ્યા પછી શું ?' પેલો વિચારમાં પડ્યો: આ સાધુનું “પછી શું 'ક્યારે પૂરું થશે ? એણે કહ્યું: “પૈસો ભેગો થશે એટલે હું દેશમાં આવીશ. લગ્ન કરીશ.' લગ્ન કરશો? લગ્ન થયા પછી શું કરશો? પેલો કહે, “પછી શાંતિથી જીવીશું, બાળબચ્ચાંનું પાલનપોષણ કરીશું.' સાધુ કહે, “અચ્છા, પછી શું થશે ? પેલો કહે : “પછી અમે ઘરડાં થઈશું. છોકરાંઓ જ્યારે આફિસ સંભાળી લેશે અને ઘરનો કારોબાર ચલાવશે એટલે અમે રિટાયર્ડ થઈશું.' ‘વારુ, તમે ઘરડા થશો, પછી તમે શું કરશો ?” ઘરડાં-બુઠ્ઠાં થયા પછી શું કરીશું એ તો અતિ ગહન પ્રશ્ન છે. પેલા છોકરાને પણ આ પછી ઉત્તર ના જથો. એટલે કહ્યું: મહારાજ, પછી–પછી શું કરો છો? પછી અમે મરી જઇશું.' પેલા સાધુ કહે, “બસ, મારે આ જ જાણવું હતું. તમે અહીં આવીને શું કરવાના છો એ જ મારે જાણવાની જરૂર હતી. તમે મરવા માટે આટલું બધું કરશો, એમ? અને આટલું બધું ન કરે તોય માણસો તે મરી જાય છે.” જંગલની અંદર વસતા ભીલલોકો, આદિવાસીઓ તદ્દન અભણ છે –છતાંય મરી જાય છે. અને જો મરવા માટે જ આટલો બધો શ્રમ, આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય તો, તો આ કર્યા વિના પણ મરી શકાય છે. આપણે જો આપણું જીવન મૃત્યુના હાથમાં જ મૂકી દેવાનું હોય તો પછી આટલી બધી ધમાલ, આટલી બધી ઉપાધિઓ શા માટે?

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172