________________
કરીને એ પોતે મનનું સમાધાન મેળવી શાંતિ અનુભવી શકે છે. કારણ એ બે ચોપડી ભણેલા હોવા છતાં એની પાસે વિચારનું ઊંડાણ છે. બી. એ. કે એમ. એ થએલો છે, એની પાસે જીવનના ઊંડાણભર્યા વિચારો માટેનો કેઈ અવકાશ નથી. એટલે એની પાસેથી પૈસો જાય છે કે તરત જ એને એમ થાય છે કે, ફલાણો ખાઈ ગયો, હવે હું શું કરીશ ? આ વાતને એને એવો આઘાત લાગે છે કે એ ઊંચો જ નથી આવતો.'
પેલા એછું ભણેલા પાસે ઓછું જ્ઞાન છે, પણ એ ઓછા જ્ઞાનને પણ અનુભવની એરણ ઉપર ચઢાવીને એણે એવું પચાવ્યું છે કે, જીવનના વિકટમાં વિકટ પ્રસંગોમાંથી પણ એ સમાધાન મેળવે છે."
જ્ઞાન તે પ્રકાશ છે. એ આવે ત્યારે અંધકારે જવું જ જોઇએભલે એ અંધકાર ગમે તે પ્રકારનો હોય.
પેલા સાધુ તે ખરા હતા. એમણે પૂછયું : “ડીગ્રી મેળવ્યા પછી તમે કમાશો, પૈસા મેળવશો. પણ પૈસો મેળવ્યા પછી શું ?'
પેલો વિચારમાં પડ્યો: આ સાધુનું “પછી શું 'ક્યારે પૂરું થશે ? એણે કહ્યું: “પૈસો ભેગો થશે એટલે હું દેશમાં આવીશ. લગ્ન કરીશ.' લગ્ન કરશો? લગ્ન થયા પછી શું કરશો? પેલો કહે, “પછી શાંતિથી જીવીશું, બાળબચ્ચાંનું પાલનપોષણ કરીશું.' સાધુ કહે, “અચ્છા, પછી શું થશે ?
પેલો કહે : “પછી અમે ઘરડાં થઈશું. છોકરાંઓ જ્યારે આફિસ સંભાળી લેશે અને ઘરનો કારોબાર ચલાવશે એટલે અમે રિટાયર્ડ થઈશું.'
‘વારુ, તમે ઘરડા થશો, પછી તમે શું કરશો ?” ઘરડાં-બુઠ્ઠાં થયા પછી શું કરીશું એ તો અતિ ગહન પ્રશ્ન છે. પેલા છોકરાને પણ આ પછી ઉત્તર ના જથો. એટલે કહ્યું: મહારાજ, પછી–પછી શું કરો છો? પછી અમે મરી જઇશું.'
પેલા સાધુ કહે, “બસ, મારે આ જ જાણવું હતું. તમે અહીં આવીને શું કરવાના છો એ જ મારે જાણવાની જરૂર હતી. તમે મરવા માટે આટલું બધું કરશો, એમ? અને આટલું બધું ન કરે તોય માણસો તે મરી જાય છે.”
જંગલની અંદર વસતા ભીલલોકો, આદિવાસીઓ તદ્દન અભણ છે –છતાંય મરી જાય છે. અને જો મરવા માટે જ આટલો બધો શ્રમ, આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય તો, તો આ કર્યા વિના પણ મરી શકાય છે. આપણે જો આપણું જીવન મૃત્યુના હાથમાં જ મૂકી દેવાનું હોય તો પછી આટલી બધી ધમાલ, આટલી બધી ઉપાધિઓ શા માટે?