Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના [ ૩૭ (૨) રવિકુલ રવિર રામ શ્રીરામ શ્યામ, ત્રિભુવનજનકઠે હાર શ્રી રામનામં; સુખદ સુખદ પ્રાણું બોલતાં રામનામ, હરિ ભજ લખમીદાણા રામ શ્રીરામનામં. નટવરવધુધારી બ્રહ્મ સાક્ષાત શ્યામં, અવનિ સુખદ સ્વામી, ગાપિકા પૂર્ણકામં; અધદુખમૃગ ત્રાસે, સંઘ શ્રીકૃષ્ણનામું, હરિ ભજ લખમીદાશા કૃષ્ણ શ્રીકૃષ્ણ ધામ. (૨૧) અંત– અમૃતરસપચીસી દાસ જે પ્રેમે ગાએ, અનેક સુખ તે પામે અંતે વૈકુંઠ જાએ; લલિત મધુરી વાણું સર્વ આનંદ થાઓ, હરિ ભજ લખમીદાશા જાનકીનાથ રાય. આ “અમૃતરસપચીસી'ની અદલે અદલ ધાટી ઉપર લખાયેલું, એક જૈન યતિએ રચેલું “શૃંગારરૂપચીસી' નામનું કાવ્ય મુનિશ્રી જિનવિજ્યજી પાસે છે. એમાં માલિનીની પચીસ કડીઓમાં શંગારરસનું ગાન કવિએ કર્યું છે. આ પછી ગોપાલભટ્ટકૃત “ફૂલાચરિત્ર'નામનું કાવ્ય આવે છે. મૂળ તે એ કાવ્ય “ભાષાચિય” નામના સળંગ ગ્રન્થને એક ભાગ માત્ર હોય એમ “ઇતિ શ્રીભાષાવૈચિત્ર્ય સ્ત્રીશિક્ષાપ્રકરણું સમાપ્તમ ” પ્રમાણેના ઉલ્લેખ ઉપરથી સમજાય છે. ૪૧ કડીના એ કાવ્યમાં ભુજંગી, શાલિની, માલિની, ઉપાતિ અને કુતવિલમ્બિતનો પ્રયાગ છે. કુલાં નામે એક કન્યાનું લગ્ન, સાસરવાસ અને એક પ્રેમાળ ગૃહિણમાં તેનું પરિવર્તન–એ આ કાવ્યનો વિષય છે. કવિએ સંભાળશંગારનું નિરૂપણ કર્યું છે. કાવ્યને અંતે રચ્યાસંવત નથી, પણ મધ્યકાલીન ગૂજરાતીની ત્રીજી ભૂમિકાના અંતિમ કાળનાં રૂપે ૩૨. પ્રસિદ્ધઃ મારા વડે સંપાદિત, “રૂપસુન્દરકારના પરિશિષ્ટમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98