Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 83
________________ વૃત્તમંા અને ઉચ્ચારણ [ ૭૩ . એ ૫ક્તિમાં જા'ના ઉચ્ચાર સ્પષ્ટ રીતે ‘જાવ' છે. સં. ૧૫૦૨ માં રચાયેલા ‘ સુર’ગાભિધાન નેમિનાથકાગ ' ના મંગલાચરણમાંની ‘ખેલું નૈમિકુમાર કુલિની રિત કાર્ડંગ” કરી રજતી' એ પંક્તિમાં ઉચ્ચાર ‘ કાગ ’ એ પ્રમાણે થવા જોઇએ. આજે પણ વેપારીઓ ‘ઘી' લખીને ‘ઘી' વાંચે છે અને મારવાડી લહિયાઓ ‘અકરમ' લખીને ‘વિક્રમ' પાઠ કરે છે, એ જાણીતું છે. એ જ રાસના અંતમાંની— જે રેવઇ ગિરિરાય ઉપર રમઇ, શ્રી નેમિપાયે નમઇ, તે પામઇ સુખસિદ્ધ, રિદ્ઘિહિં રમઇ, શ્રી શાશ્વતી ભાગવઇ. એ પંક્તિમાં અ + ઈ જુદા લખ્યા છે, પરન્તુ એનું ઉચ્ચારણ તે સંયુક્ત થવું જોઇએ. ‘અ' અને ‘ઐ’ ના વચગાળાનું, કંઈક વિદ્યુત ‘અ’ને મળતું ઉચ્ચારણ થતું હશે, એમ મારું માનવું છે. પંદરમા શતકના શાલિસૂરિના ‘વિરાટપર્વ’માંનું ભમરડ રિવા અણુખીત પરિ પસ કૃતકિ તઉ એ અવતરણ પણ આપણને એ જ અનુમાન કરવાને પ્રેરે છે કે અસંયુક્ત ‘અ’નું ઉચ્ચારણુ ‘અઉ’ અને ‘ઔ’ના વચગાળાનું વિદ્યુત ઔ' જેવું થતું હશે. સત્તરમા—અરાઢમા શતકની મારવાડી હાથપ્રતામાં, ગૂજરાતી અસંયુક્ત અ” અને અને સ્થાને અનુક્રમે ‘એ' અને ‘ઔ' લખેલા મળે છે, તે આ વિસ્તૃત ઉચ્ચારણના સૂચક હશે. સરખામણી તરીકે હાલ હિંદીમાં લખાય છે ‘હૈ', પણ ખેાલાય છે વિસ્તૃત ‘હૈ' એટલે કે ‘ૐ જેવું. " જયશેખરસૂરિની અર્બુદાચલવીનતી ’ના નમિય સ્વામિય નિર્મલ ભાવસિä, ગુણતણિ ગુણિના અમ્હે આસ્સુિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98