Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૧૧૨ :
: પ્ર. શ્રી હર્ષyપામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
wchukiasuludlu Su Suces
“સંત શાસન” હતું અને રાજાઓ પ્રજાપાલક હતા અને તેમના પર ધર્મદંડ હતો. આપણી પરંપરાના સૂર્યવંશી મહારાણ બાપા રાવળના વંશ જ મહારાણા પ્રતાપના વંશ કે જેમને અધિકાર છે તેમને આર્યાવર્તની રાજય સત્તા સેંપવાને બદલે અંગ્રેજોએ ગૃઢ હેતુઓ માટે સ્થાપેલી કોંગ્રેસના નેતાઓને હંવાલે આ દેશને મૂકી દે છે. અંગ્રેજોએ ચાલ્યા જવાને દેખાવ કર્યો પરંતુ તેમનું માળખું (એકઠું) જડબેસલાક કરતા ગયા અને આ ભોળી અને સરળ પ્રજાને ફસાવતા ગયા.
પ્રભુદાસભાઈ કહેતા કે પુરાતત્વ ખાતું અંગ્રેજોએ આપણી સંસ્કૃતિ અને ધર્મને ખતમ કરવા ખેલ્યું છે. ૨૩-૧૨-૮૫ ના રોજ એક અંગ્રેજી દૈનિક પત્રમાં ૧૮૪૩ ની સાલમાં કનીંગ હામને જુને પત્ર પકડાઈ ગયાના અને બ્રિટિશ કાવતરાના આ સમાચાર પ્રસિધ્ધ થયા છે. તે પુરવાર કરે છે કે સ્વર્ગસ્થને અભ્યાસ કેટલે બધે ઝીણવટ પૂર્વકને. હશે. કતલખાના અને જીવહિંસાની જનાઓ પણ અંગ્રેજોએ કરી. આપણાં ધર્મોમાં હસ્તક્ષેપ કરનારી ટ્રસ્ટ એકટની કલમે સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી. શ્રી પ્રભુદાસભાઈએ શાસ્ત્રના શ્લોક રજૂ કર્યા પરિણામે અદાલતે ચાર કલમે ગેરકાયદે ડરાવી.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થની મહાન અહિંસક સંસ્કૃતિના પાયા પર રચાયેલ કાયમી બંધારણ જે “મનુ સ્મૃતિમાં છે, તે અંગ્રેજોએ ઉડાવી દીધું. અને નવું બંધારણ અર્થ અને કામના પાયા પર રચાવ્યું. પ્રભુદાસંભાઈએ તે વખતે ભારતની પ્રજાને લેઢાની બેડીથી મુકત કરીને સોનાની બેડીમાં જકડતા આ બંધારણ સામે જોરદાર ? ચેતવણીઓ આપી. સરદાર વલ્લભભાઈ પટેલ તેમને સાંભળવા તૈયાર થયા. પરંતુ એ તેઓશ્રી કાંઈ પણ જાણે તે પહેલા અવસાન પામ્યા.
સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિક પ્રભુદાસભાઈને ત્રણ કલાક મળ્યા. હવે ઘણું મોડું થઈ ગયું 3 તેમ કહીને ખૂબ રડયા.
વિશ્વની સૌથી સમૃદ્ધ, ધનાઢય અને સુસંસ્કૃત પ્રજાને અંગ્રેજોએ માત્ર નીચોવી VV લીધી એટલું જ નહિ પરંતુ વંશ પરંપરાગત વેપાર, ધંધા, કલા, ગ્રામ્ય હેનર ઉદ્યોગ વગેરે પિષક અર્થ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાંખી, પ્રજા નિરાધાર દુઃખી અને ! ત્રાહિમામ થઈ ગઈ. જીવમાત્રને પરમાત્મા સદબુદ્ધિ આપ એ જ પ્રાર્થના,
પંડિતજીના અત્યંત ઋણી (કુલછાબ-જયહિંદ)
ડો. બળવંતરાય ઉમેદલાલ કામદાર (તા. ૩૧-૧૨-૮૫)
જયંતિલાલ લક્ષ્મીચંદ શાહ સુમનલાલ છોટાલાલ કામદાર !
Vue hac