Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
હિતા હિતની વિચારણું
હાલમાં દારૂ નિષેઘની પ્રવૃતિ પરેપકારાભાસ પ્રવૃત્તિ છે, મનિષેધ એ સપ્ત વ્યસનમાંના એક વ્યસનને નાબુદ કરવા રૂપ સારે પરોપકાર છે. પરંતુ હાલને દારૂનિષેધ કૃતિમ છે. કેમકે-આ દારૂ નિષેધનું પરિણામ દેશી દારૂ જે હાથથી ગાળવામાં આવે છે, તેના ધંધા ઉપર જરૂર કાબુ મૂકનાર છે. પરંતુ તેટલેથી મદ્યપાનને નિષેધ થશે, એમ માનવાને કારણ નથી, એ સર્વથા જગતમાંથી કદી બંધ થઈ શકે તેમ છે જ નહીં. અલબત્ત શરૂઆતમાં તેના ઉપર ઘણે અંકુશ આવવાને અને મદ્યપાન એર છું થયેલું એટલે કાયદામાં પણ એટલી અપવાદ તરીકે છુટ મૂકવી પડશે, એ છુટ ઉપયોગ ધીરે ધીરે મશીનથી બનતા અને આ દેશમાં રીતસરના કારખાનાઓ મારફત અનેક વિવિધ પ્રકારના મંદ, મંદતર, ઉગ્ર, ઉગ્રતર અસર કરનારા દારૂઓ વિવિધ નામે અને પ્રકારે પ્રસરશે. તે રોકી શકાશે નહી. નવા પ્રકારને સ્થાન આપવા અને જુના પ્રકારને નાશ કરવા આ હિલચાલ છે.
સારાંશ કે-સર્વથા મધ નિષેધ નથી. પણ મધ પ્રકાર નિષેધ છે. જેથી વાસ્તવિક રીતે મનિષેધ નથી જ. બાકી દેખાવ માત્ર જ છે. કેમકે-માનવ જાતમાં આજે આદર્શ આરોગ્ય નથી. આદર્શ આરેગ્યવાળાને આવા પીણાની જરૂર હોતી જ નથી. આદર્શ આરોગ્ય ન હોય છતાં પ્રજાને આદેશ આગ્યવાળી કરી શકાય તેવા સાત્વિક ખોરાક અને પ્રયોગો આર્યવૈદ્યક વિજ્ઞાનમાં પુષ્કળ છે. પરંતુ તેની અજમાયેશની આમ્નાયનો લગભગ લોપ છે. અને કદાચ તેને ઉદ્ધાર થાય તે તે ખર્ચાળ છે. જેને હાલની આ દેશની પ્રજા પહોંચી શકે તેમ નથી, અને બીજો પ્રકાર ઉત્તેજક ઔષધે – ઉપચારોની મદદથી આરોગ્યવાળા દેખાઈને જીવન નિર્વાહ કરે, એ છે. તેમાં ઉજક અને માદક દ્રવ્ય પ્રધાન છે. કેઈ દારૂડીયા દારૂ પીવાનું બંધ કરે, તે તે વધારે ઉગ્ર ચા પીવે. શરબતે વિગેરેમાં તે ઉત્તેજક બીજે નામે થોડાં ટીપા પીવાને પ્રચાર થાય, અને એમ કરતાં લાંબે કાળે એક યા બીજા સ્વરૂપે મદ્યપાન વધુ ને વધુ ફેલાવાનું. સર્વથા મધનિષેધની પરિસ્થિતિ નથી. કેમકે તેની સામે ય વિરોધી હિલચાલ છે અને નોન એશિયાટિક માટે છુટ છે. એટલી કાયદામાં છૂટ રાખી છે, એ ભવિષ્યમાં બીજા સ્વરૂપે વધવાનું બીજ છે. યુરોપ અમેરિકામાં મનિષેધના હેવાલ આવે છે, તે પણ દેખાવ માત્ર છે. અને કેટલીક હાલના મુત્સદ્દીઓની એવી રીત છે કે–અહી જે પ્રવૃત્તિ કરાવવી હોય. તેની હિલચાલ પ્રથમ યુરોપ અમેરિકામાં ચલાવે છે. અહીં ફરજીઆત લશ્કરી શિક્ષણ કરવાને યુરેપમાં યુદ્ધનું વાતાવરણ કરવામાં આવ્યું છે. બીજી પ્રજાઓને અહીં વસવાટના હક્ક આપવાને જની મારફત યુરેપે જુદા જુદા બહાના નીચે યહુદીઓને ત્યાંથી કાઢી