Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 193
________________ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન એટલીનુ' દ્રવ્ય ( પેજ નં. ૧૬ થી ચાલુ ) આ પ્રશ્ન પણ જૈન શાસ્ત્રકારાની વ્યવસ્થાના પાછળના અભિપ્રાયનું અપાર જ્ઞાન સુચવે છે. સમજવા માટે પ્રશ્ન કરવામાં આવે, તે દ્વેષ રૂપ નથી કેમકે એમ પૂછવાથી જ જૈન શાસનની ગહન ખાખતા જાણવામાં આવી શકે છે. તે ગુણુરૂપ છે.સમજાય છતાં આગ્રહ પકડી રાખવા તે દોષરૂપ છે. ખુલાસા-ત્યાં નય જુદો છે. પરમાત્મા તે વખતે ગૃહસ્થાવસ્થામાં હોય છે. ચક્રવર્તિ પણ હોય, તે તેના રાજ્યમાં રહેતા હોઈએ છીએ, તેમને ઘેર મેમાન થઇ જમવામાં પણ વાંધે નથી. એ સ*પત્તિ એક ગૃહસ્થ તરીકેની છે. દાન પણ એજ દૃષ્ટિથી આપે છે. નહીંતર તે વખતના જિનનાં કાઇ દેહરાસરના દ્રવ્યમાંથી ખુદ ચક્રવર્તિના અવસ્થામાં દાન આપવાના અધિકાર તીથંકર પ્રભુના જીવને પણ નથી હોતા તેથી ત્યાં જુદો નય લાગુ પડે છે. અને ભક્તોએ ભક્તિથી દેવ તત્ત્વની ભક્તિ નિમિરો સમર્પિત દ્રવ્યને જુદો નય લાગુ પડે છે. જેથી તે સઘળું દેવદ્રવ્ય બને છે. ત્યારે તેમના ગૃહસ્થાવસ્થાની મિલ્કત દેવદ્રવ્ય બનતુ નથી આ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા જેવુ છે. ધાર્મિક દ્રવ્ય તે બેમાં અંગત માલિકીનું દ્રવ્ય અને આકાશ-પાતાળનું અંતર છે. દેવાદિ બુધ્ધિથી આપેલ ધ્યાનમાં રાખવુ જોઇએ. (૧૦) સ્વપ્ન દ્રવ્ય ચ્યવન કલ્યાણકની ભક્તિ નિમિત્તે ખેલાયેલુ દ્રવ્ય છે. તેની સામે અમારે કાંઇપણ કહેવાનુ રહેતું નથી. પરંતુ તેને દેવ-દ્રવ્ય માનવા માટે કોઇ શાસ્ત્ર પૂરાવા આપશે। ? આ પ્રશ્ન પણ સ્હેજે જ થાય તેવા છે. (૧) દેવ ભક્તિ નિમિત્ત નિમિત્તક દ્રવ્ય તે દેવદ્રવ્ય એ તા પ્રસિધ્ધ ખાખત છે. (૨) ‘તે દેવ ભક્તિનું છે' એમ ઉપર ૮ મી કોલમમાં વિગતવાર પૂરાવા આપ્યા છે. (૩) પરમાત્માની ભક્તિના અનેક પ્રકારો જૈન શાસ્ત્રોમાં બતાવ્યા છે. બે પ્રકારી, ત્રણ પ્રકારી, ચાર પ્રકારી, પાંચ પ્રકારી, આઠ પ્રકારી, ૧૭ ભેદી, ૨૧ પ્રકારી, ૧૦૮ પ્રકારી સ્નાત્ર, મહાસ્નાત્ર, તીથ યાત્રા, રથયાત્રા, ચૈત્યપરિપાટી, પ`ચ કલ્યાણકની પૂજા, મહાસ્નાત્ર વિગેરે સે...કડા હજારો પ્રકારાનુ વર્ણન આવે છે. તેમાં ત્થા પ્રતિષ્ઠા અંજનશલાકા વિગેરેમાં જુદા જુદા અનેક નિમિત્તોને ઉદ્દેશીને દ્રવ્યાપણુ, નકરા ચડાવા (ત્સ`ણા) વિગેરે પ્રકારે ભક્તિ તથા દેવદ્રવ્યની વૃધ્ધિનુ એક ધાર્મિક કૃત્ય વગેરે તમામનું દેવદ્રવ્ય ગણાય જ છે. એ સામાન્ય નિયમ સત્ર લાગુ પડે છે. (૪) આથી કરીને શાસ્ત્રકાર ભગવતા સને લાગુ પડે તેવુ' સામાન્ય લક્ષણ આપી ઢે અને તે જયાં જયાં લાગુ પડે છે ત્યાં ત્યાં બધેય લક્ષણ મુજબ લક્ષ્યની વ્યવસ્થા કરી લેવાની રહે છે. (૫) આટલા જ માટે ભક્તિ માટેની ચીને પોતાના ઘરના દ્રવ્યની ન બનાવી શકાય, : ૧૮૫

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206