Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
તા :
કામ
હાલના કેવળ ભૌતિક વિજ્ઞાને માનવોને કરેલી ભયંકર હાનિ
-પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ આત્મા અને તેના વિકાસ વિકાસના ઉપાયે અને છેવટના પરિણામ સુધીની જે ઉત્તમ વિચારણાઓ થયેલી છે, તેના અનુસંધાનમાં-(૧) વિશેષ શેર અને વિચારણાઓ ન કરતાં, હાલના વિજ્ઞાને (૨) તે સર્વને બાજુમાં જ રાખીને–ધકેલીને–સ્વતંત્ર રીતે વિશ્વને વિચાર કરવાની શરૂઆત કરી છે. (૩) સ્વતંત્ર રીતે જ મૌલિક અને વિભાગીય આ તમામ નવા શાસ્ત્રો રચવા માંડયા છે. (૪) ત્યાં સુધી તે કદાચ ઠીક પણ (૫) તે અપૂર્ણ અને અધકચરી શેના આધાર ઉપર (૬) માનવી જીવન વ્યવસ્થાય સજી છે, (૭) ને સર્જાવાય છે. અને (૮) તેને મોટા પાયા ઉપર મોટા ખર્ચે પ્રચાર કરાય છે. (૯) કરાવાય છે. એટલેથી ન અટકતાં-(૧૦) આત્મવાદ ઉપરના-કાંઈક કાળથી રૂઢ થયેલા પરંપરાગત ચાલ્યા આવતા-જીવનધોરણને માનવોના જીવનમાંથી (૧૧) કાઢી નંખાવવા(૧૨) અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, (૧૩) તે કારણે કરે: માનવીઓને તે કામે રોકવામાં આવેલા છે. તથા (૧૪) બીજા અનેક પ્રપંચેમિયઃ સાચા-ખોટા આકર્ષક અને ભયભીત કરાવનારા કે લલચાવનારા પ્રયાય કરવામાં આવે છે. (૧૫) : તે જ નવા જીવનધોરણોને (૧૬) વ્યવહારુ: (૧૭) ઉપયોગી અને (૧૮) પ્રાગતિક દ કહેવામાં આવે છે. (૧૯) તેને શિક્ષણ કાયદાઃ રાજ્યતંત્રઃ શોધઃ યંત્ર વગેરેનું પીઠબળ આપવામાં આવે છે. (૨૦) લોકશાસનઃ ગણતંત્ર: (૨૧) ધારાસભાઓઃ (૨૨) ચુંટણીઃ (૨૩) બહુમતવાદ (૨૪) બહુમત પ્રાપ્ત કરવા–સત્યાસત્યમિશ્ર વર્તમાનપત્રને બહોળો ફેલાવે (૨૫) મતાધિકારની પદ્ધતિ ઉભી કરવી (૨૬) નાટક-સિનેમા-મનોરંજનવગેરે પ્રચારક સાધનઃ (૨૭) સત્યાસત્ય મિશ્રિત ભાષણે–વકૃત ફેલાવવા: ને (૨૮) તેને ખોટી રીતે પ્રવચન નામ આપવું. વગેરે ધમધોકાર ચાલે છે. (૨૯) બીજી અનેક લાલચ દ્વારા જનતાને તે તરફ આકર્ષવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ (૩૦) ધંધા અને આજીવિકા તથા આર્થિક મુશ્કેલીમાં મૂકી તે દૂર કરવા માટે જનતાને ન છૂટકે લલચાવું પડે (૩૧) તેવી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે (૩૨) જુદા જુદા નિમિત્તોથી (૩૩) વંશપરંપરાગત ધંધાઓ તેડાતા જાય, (૩૪) લેકો મુશ્કેલીમાં મૂકાતા જાય, (૩૫) પ્રાગતિક જીવન-ધારણને પાટે જે લોકે ન ચડે, ત્યાં સુધી તેઓને નવા ધંધા કે આર્થિક સગવડો આપવામાં ન આવે અથવા અતિ કરકસરથી અપાય, અથવા ઢીલ કરવામાં આવે (૩૬) મોંઘવારી: (૩૭) કરે. વધારાય. (૩૮) પરંપરાગત સાધનેને અનેક પ્રકારે અભાવ કે દુર્લભતા ફેલાવાય. (૩૯) નવાજુના વિચારેના ઘર્ષણો: (૪૦) ધર્મ (૪૧) અર્થ: (૪૨) કામઃ પુરુષાર્થના સાંસ્કૃતિક સાધનો અને (૭) તેના આધાર ઉપરના જીવનધોરણમાં (૪૪) જુદી જુદી દિશાએથી (૪૫) સુધારા (૪૬) પરિવર્તન
ર
)