Book Title: Patanjalyog Sutra Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 285
________________ ૨૫o. પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૯ અવતરણિકા : आसनजयानन्तरं प्राणायाममाह - અવતરણિતાર્થ : આસનય કર્યા પછી પ્રાણાયામને કહે છે – ભાવાર્થ : યોગસાધના માટે પ્રવૃત્ત યોગી આસનનો અભ્યાસ કરે છે અને જ્યારે આસન સુઅભ્યસ્ત બને છે ત્યારે તે યોગીને આસનનો જય થાય છે અને આસનનો જય કર્યા પછી યોગી પ્રાણાયામ નામના ચોથા યોગાંગમાં ઉદ્યમ કરે છે, તેથી હવે પ્રાણાયામ નામનો યોગાંગ બતાવે છે. સૂત્ર : तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥२-४९॥ સૂત્રાર્થ: તે હોતે છતે=આસન સ્થિરભાવ પ્રાપ્ત કરે છd, શ્વાસ, પ્રશ્વાસની ગતિના વિચ્છેદરૂપ પ્રાણાયામ અનુષ્ઠય છે. ર-૪૯II ટીકા? ___'तस्मिन्निति'-आसनस्थैर्ये सति तन्निमित्तकः प्राणायामलक्षणो योगाङ्गविशेषोऽनुष्ठेयो भवति । कीदृशः ? श्वासप्रश्वासयोर्गतिविच्छेदलक्षणः, श्वासप्रश्वासौ निरुक्तौ, तयोस्त्रिधा रेचनस्तम्भनपूरणद्वारेण बाह्याभ्यन्तरेषु स्थानेषु गतेः-प्रवाहस्य, विच्छेदो धारणं, प्राणायाम ર-૪ ટીકાર્ય : માસનસ્થર્યો મવતિ, આસનનું ધૈર્ય હોતે છતે તનિમિત્તકસ્થિરઆસનના અવલંબનવાનું, પ્રાણાયામસ્વરૂપ યોગાંગવિશેષ અનુષ્ઠય કરવા યોગ્ય છે. શ: ? કેવો પ્રાણાયામ છે ? તેથી કહે છે – શ્વાસસ્થાન .... ઉચ્ચત્તે / શ્વાસ, પ્રશ્વાસની ગતિના વિચ્છેદસ્વરૂપ પ્રાણાયામ છે, શ્વાસ, પ્રશ્વાસ પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાના છે. તે બેને શ્વાસ અને પ્રશ્વાસને રેચન, સ્તંભન અને પૂરણ દ્વારા ત્રણ પ્રકારે બાહા અને અત્યંતર સ્થાનોમાં ગતિનો=પ્રવાહનો, વિચ્છેદ-ધારણ, પ્રાણાયામ કહેવાય છે. ||ર-૪૯ll

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310