Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 32
________________ પૂ. શ્રી જૂઠાભાઈ 39 ૧૦. ગુમડાની હરકત નિવૃત્ત થઈ હોય કિંવા અહીં ભણી આવવા માટે કાંઈપણ રીતે અબાધ્ય હોય તો આ ભણી આવવા માટે અવશ્ય તજવીજ કરી જય મેળવો. મારા સમાગમથી જ્ઞાની દૃશ્ય તો તમને... યોગ્યતા... આનંદ અને સત્સંગ મળશે. મને પણ પાછળના બે મળશે. (સત્સંગ-આનંદમળશે.) ૧૧. સંવત ૧૯૪૫ - વવાણીયાથી સુજ્ઞ ચિ. “તમારા તરફથી આવેલું એક પત્ત તથા એક પત્ર પહોંચ્યા છે. પેટી સંબંધી, પુસ્તક સંબંધી અને અન્ય તમારી વિનય પ્રણી પત્ત વાંચી સંતોષ પામ્યો છઉં.” ( ૧૨. “મારા તરફથી ત્રણ-ચાર પત્રો લખાયાની તમારા તરફથી પહોંચ કે ઉત્તર નથી તેનું કારણ હું ધારૂ છઉં કે દુકાનથી તમને તે પત્રો મળેલા ન હોવા જોઈએ. ટપાલ વેળા હંમેશાં લક્ષ આપશો તો તેમ બનશે નહીં. ‘પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરૂપાયતા છે.' સાથેનો પત્ર ટંકશાળમાં પહોંચાડશોજી.” વ. ૭૪ રાજયના.વ.આ. ૧૩. ભાદરવા વદ ૪ શુક્ર સંવત ૧૯૪૫ મુંબઈથી અમદાવાદ, જૂઠાભાઈ પ્રત્યે “તમારૂ પત્ર મળ્યું. તમે લખો છો તે સત્યરૂપ છે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ તે પ્રતિકૂળરૂપ છે, એ વગેરે એમના પક્ષના વિચારો મને અનુભવગમ્ય છે. તેઓ સ્વાર્થના તત્ત્વને બહુ અવળી રીતે સમજ્યા છે. સત્ય વિવેક માટે તેમનું લક્ષ પૂર્વ કર્મને લીધે ઓછું છે, અને તેથી તમને, તેઓ કે હું હાલ સુખનું કારણ થઈ શકીએ તેમ નથી. “મારા પર શુધ્ધ રાગ સમભાવથી રાખો, વિશેષતા ન કરો. ધર્મધ્યાન ને વ્યવહાર બન્ને સાચવો.” આગળ પર જ્ઞાની દષ્ટ હશે તે થઈ રહેશે. અહીં હમણાં મારો સ્થાયિ ભાવ વ. ૭૫

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68