Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 4
________________ પન્યાસજી મહારાજશ્રી કંચનવિજયજી ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર, હું પૂર્વાવસ્થા. 8 તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ગિરનાર, તાલવજ વિગેરે પતિત-પાવન તીર્થોથી પવિત્ર શ્રી સૌરાષ્ટ્ર દેશમાં આવેલા ભાવનગર સ્ટેટમાં ગઢડા નામના શહેરમાં સુપ્રસિદ્ધ વેલાણું કુટુંબના ભાવસાર રૂગનાથ દુલભદાસ રહેતા હતા. તેઓ દરબારશ્રી મંગલસિંહજીના વિશ્વાસપાત્ર અને કોઠારી શ્રીમાન ભાવસાર ભવાન હરખાની સુપુત્રી બાઇ માંધી સાથે પરણ્યા હતા. ગઢડામાં સ્થાનકવાસી સાધુઓના વિશેષ સંસ ને લીધે રૂગનાથભાઈમાં સ્થાનકવાસી જૈન તરીકેના સંસ્કાર પડયા હતા, જ્યારે બેન મેંદીને તેમના પિતાશ્રી તરફથી મૂર્તિપૂજક જૈન ધર્મના સંસ્કાર પડ્યા હતા; છતાં ભદ્રક પરિણમી અને પ્રેમાળ દંપતી પોતપોતાની માન્યતા મુજબ ધાર્મિક ક્રિયાકાંડ કરતા હતા. શ્રીયુત રૂગનાથભાઈને તેમના પ્રેમાળ અને માયાળુ ધર્મપત્ની બાઈ મેંદીની કુક્ષિએ હેરજીવનદાસ, નાનાલાલ, જગજીવનદાસ, નરોત્તમદાસ અને ઝવેરચંદ નામે પાંચ પુત્રો તથા બેન કેકે અને અજવાળી નામે બે પુત્રીની પ્રાપ્તિ થઈ. તેઓમાં આપણા ચરિત્ર નાયક પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિ, જેમનું સંસારી નામ હરજીવનદાસ હતું, તેમને જન્મ વિકમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 76