Book Title: Panch Pratikramana Sarth
Author(s):
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
નમો અરિહંતાણં ॥ ૧ ॥
*શ્રી અરિહંત (પરમાત્માઓ)ને નમસ્કાર થાઓ. ૧
* કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચ૨તા તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે છે –
૧. અશોક વૃક્ષ - જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે.
૨. સુરપુષ્પવૃષ્ટિ - એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણ ચિત્ત ફુલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે.
૩. દિવ્ય-ધ્વનિ - ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે છે તે.
૪. ચામર - રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે.
૫. આસન સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે.
૬. ભામંડળ - ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ શકાય નહિ.
-
ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય
૭. દુંદુભિ - ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડે છે. તે એમ સૂચવે છે કે – ‘હે ભવ્યો ! તમે શિવપુરના સથવા૨ા તુલ્ય આ ભગવંતને સેવો.’

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 466