Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 234
________________ શ્રીસમવસરણસ્તવ ૨૧૧ ઉપાધ્યાયશ્રીધર્મકીર્તિ વિરચિત : શ્રીસમવસરણસ્તવ : પદાર્થસંગ્રહ શ્રીસમવસરણસ્તવ ઉપાધ્યાય શ્રીધર્મકીર્તિ ગણિએ રચેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કરાયો છે. જિનેશ્વર ભગવંતોને જ્યાં કેવળજ્ઞાન થાય ત્યાં વાયુકુમાર દેવો ૧ યોજન ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમાર દેવો ત્યાં સુગંધી પાણી વરસાવે છે. છએ ઋતુના અધિષ્ઠાતા વ્યંતર દેવો ત્યાં પુષ્પોની વૃષ્ટિ કરે છે. તે પુષ્પોના ડિંટીયા નીચે તરફ હોય છે. | વ્યંતરો મણિ, સોનું, રત્નથી પૃથ્વીતલની રચના કરે છે. (પીઠબંધ કરે છે.) અંદરનો કિલ્લો વૈમાનિકદેવો રચે છે. તે રત્નમય છે. તેના કાંગરા મણિના છે. મધ્યમ કિલ્લો જ્યોતિષદેવો રચે છે. તે અર્જુન સુવર્ણમય છે. તેના કાંગરા રત્નના છે.

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262