Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 15
________________ 14 પાઠાંતરો પણ મુ. સંજ્ઞા સાથે નોંધ્યા છે. “શ્રી સિદ્ધસેન દિવાકર ગ્રંથમાળા' એવા નામની આ પ્રતિનું પ્રકાશન વર્ષ સં. ૧૯૬પ છે. એ. એન. ઉપાધ્યએ કાત્રિશિકાઓનો સંશોધિત પાઠ “ન્યાયાવતાર'ના પરિશિષ્ટમાં પ્રગટ કર્યો હતો, પણ તેનો આ દ્વાત્રિશિકાના સંપાદનમાં લાભ મળ્યો નથી. આથી મૂળ પાઠ અંગે નીચેની સ્પષ્ટતા ધ્યાનમાં લેવા વિદ્વતર્ગને વિનંતિ છે ૧. જે શબ્દો અશુદ્ધ કે અસ્પષ્ટ લાગ્યા તે શબ્દ સાથે (?) આમ પ્રશ્ન ચિહ્ન મૂક્યું છે. ૨. જ્યાં નવો પાઠ યોજ્યો છે ત્યાં તે શબ્દોને ઘાટા અક્ષરોમાં છાપ્યા છે ને અધોરેખાંકિત પણ કર્યા છે. ૩. પાઠાંતરો અને નવા પાઠનો ખુલાસો પાઠચર્ચામાં નોંધ્યા છે. ૪. અન્વયમાં અધ્યાહાર્ય શબ્દો અથવા સ્પષ્ટીકરણના શબ્દો [] આવા ચોરસ કૌંસમાં રાખ્યા છે. નિયતિ દ્વાત્રિશિકા'ના અનુવાદ/વિવરણના આ પ્રયાસમાં જાણે નિયતિ જ નિમિત્ત બની છે! “સિદ્ધસેન શતકના વિમોચન પ્રસંગે યોગાનુયોગે જ હાજર રહેલાં શ્રી સુધીર દેસાઈએ જ્યારે શતક વાંચ્યું ત્યારે દિવાકરજીએ નિયતિ તાત્રિશિકા' પણ રચી છે એ તેમના જાણવામાં આવ્યું. તેમને આ વિષયમાં રસ છે અને નિવૃત્ત થયા પછી “નિયતિવાદના વિષય પર જ પીએચ.ડી. તેઓ કરી રહ્યા છે. આ માટે નિયતિ તાત્રિશિકા'નો અનુવાદ જરૂરી હતો. આ. શ્રી વિ.શીલચંદ્રસૂરિજી દ્વારા તેમણે મને જણાવ્યું અને મેં કરી આપવાનું સ્વીકાર્યું. જો કે, આ કાર્ય કરવાની તક મને સાંપડી તે બદલ હું તો શ્રી સુધીરભાઈ દેસાઈનો આભાર માનીશ, નિયતિનો નહિ! મારી અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓની જેમ, આ પ્રકાશનમાં પણ શ્રી માવજીભાઈ સાવલાનો આત્મીયતાભર્યો સહયોગ મને સાંપડ્યો છે. આખું વિવરણ તપાસી જઈ તેમણે મહત્ત્વનાં સૂચન કર્યા છે; બત્રીસીમાંના કેટલાંક વિચારબિંદુઓના આધુનિક ચિંતન પ્રવાહો સાથે સામ્યતારતમ્યની ચર્ચા કરતી પ્રસ્તાવના લખી આપી છે; જૈન સાહિત્ય અકાદમી સાથે રહીને બધું ગોઠવી આપ્યું છે. આમ, પ્રસ્તુત પ્રકાશન સાથે તેઓ ગાઢરૂપે જોડાયા છે એ વાતે હું ઊંડો આનંદ અનુભવું છું.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50