________________
૨૯
શ્રી સિદ્ધસેન દિવાકર “દિવાકરજીની પ્રતિભા બહુઆયામી હતી પણ સૂર્યની સાથે જેમ ઉષ્ણતાનો ખ્યાલ જોડાઈ ગયો છે એમ દિવાકરજીના સંબંધમાં ‘તાર્કિકતાની છાપ પ્રમુખ બની ગઈ છે. “સન્મતિપ્રકરણ” અને “ન્યાયાવતાર' જેવા ગ્રંથો વધુ ધ્યાન ખેંચનારા બન્યા અને તર્કવાદ દિવાકરજીની ઓળખ બની ગયો. વાસ્તવમાં દિવાકરજી માત્ર તાર્કિક નહોતા; ભકત, ભાવુક, કવિ, ચિંતક, સાધક, ગુરુ પણ હતા. શ્રી હેમચંદ્રસૂરિએ મનુ સિદ્ધસેન વયઃ” કહીને દિવાકરજીના કવિત્વની નોંધ લીધી છે તો બીજા કેટલાક ગ્રંથકારોએ “યાદ સ્તુતિઃ ' કહીને દિવાકરજીના ચિંતનને પ્રમાણ્યું છે જ. આમ છતાં, સામાન્ય જૈન વર્ગ તો ઠીક, વિદ્વાન વર્ગ પણ દિવાકરજીને તર્કવાદી, બુદ્ધિવાદી, ઉદામવાદી કે મંત્રવાદી તરીકે જોતો આવ્યો છે.
બત્રીસ બત્રીસીઓમાંથી એકવીસ બત્રીસીઓ જ હાલ ઉપલબ્ધ છે. ભગવાન મહાવીરનું જીવન, તેમનું શાસન, નિશ્ચય, વ્યવહાર, અનુશાસન, વકતૃત્વ, યોગ, વાદ, વિવિધ દર્શનોનો સારસંક્ષેપ – આવો વ્યાપક વિષયલક ધરાવતી આ બત્રીસીઓ અર્થઘન, મૌલિક અને જીવન તથા ધર્મ સાથે સીધો સંબંધ ધરાવનારી છે. એક કાળે દિવાકરજીની આ બત્રીસીઓએ તથા અન્ય કૃતિઓએ સમર્થ જૈનાચાર્યો અને જેને શાસ્ત્રકારો પર ઊંડી અસર જન્માવી હતી. બત્રીસીઓ ‘સ્તુતિ' એવા નામે પ્રખ્યાત હતી અને દિવાકરજી સ્તુતિકાર તરીકે લોકપ્રિય, લોકવિશ્રુત હતા.”
- સિદ્ધસેન શતક