________________
૨૮
નથી મળતું, પણ વિરોધી વિચારોને પણ ન્યાય આપવાની દિવાકરજીની પારદર્શક પ્રામાણિકતા તથા ગહન વિષયનો અતિ સંક્ષેપમાં સાર ગૂંથી લેવાની દિવાકરજીની શક્તિનાં સુંદર દર્શન થાય છે.
ન્યાય, વૈશેષિક વગેરે દર્શનોનો સાર પણ તેઓશ્રીએ આ જ રીતે આપ્યો છે. એવી દ્વાáિશિકાઓમાં દિવાકરજીએ અંતિમ શ્લોકમાં પોતાનો - પ્રતિભાવ આપ્યો છે. એ જ શૈલી અહીં પણ સ્વીકારી છે, પરંતુ એક તફાવત નોંધવા લાયક છે : અન્ય દર્શનોના ઉપસંહારમાં સમન્વય કે પ્રશંસાના ઉદ્ગાર જોવા મળે છે, જ્યારે અહીં બહુ નિશ્ચયાત્મક શબ્દોમાં પોતાની તટસ્થતા તેમણે વ્યક્ત કરી છે. આથી, નિયતિવાદ પ્રત્યે તેમને
સહાનુભૂતિ નથી એટલું તો સ્પષ્ટ થઈ જ જાય છે. પાઠચર્ચા સિદ્ધાર્થa -મુ. સિદ્ધાર્થશ્વ –વી, જે., મ.