________________
૨
૫
सुरादिक्रम एकेषां मानसा ह्युत्क्रमक्रमात् ।
सुखदुःखविकल्पाच्च खण्डिर्यानोऽभिजातयः ॥२८॥ વિવરણ : આજીવિકા મતાનુસાર મુક્તિ પામતાં પહેલાં જીવે સાત જન્મ “સંજ્ઞિ ગર્ભમાં,
સાત જન્મ “નિર્ગન્થિ ગર્ભમાં લેવા પડે છે. ભગવતી સૂત્રમાં આ જન્મોની સૂચિ મળે છે. “માનસી” દેવલોકનું નામ છે, એ પણ ભગવતી સૂત્રમાં છે. નિર્ઝન્થિ ગર્ભનો અર્થ “દેવલોકમાં જન્મ' એવો થાય છે એવું તારણ વિદ્વાનોનું છે. આ સાત-સાત જન્મ ક્રમસર નહિ પણ ઉત્ક્રમથી – આડાઅવળા ક્રમથી થાય છે એમ પણ ભગવતી સૂત્રની સૂચિમાં છે. આ સાત સાત જન્મો વિષયક ચર્ચા આ શ્લોકમાં છે એમ લાગે છે. અર્થ સ્પષ્ટ થતો
નથી.
व्योमावकाशो नान्येषां कालो द्रव्यं क्रिया विधिः।
सुखदुःखरजोधातु-र्जीवाजीवनभांसि च ॥२९॥ વિવરણ: પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ, જીવ, સુખ અને દુઃખ – એવા સાત તત્ત્વો
આજીવિકો માનતા હતા. ૩૬ પ્રકારના “રજોધાતુ હોવાની તેમની માન્યતા હતી. અહીં સાત તત્ત્વોમાંથી અમુકના ઉલ્લેખ સાથે “રજોધાત’નો પણ સમાવેશ છે. “રજોધાતુનો આજીવિક પરંપરામાં શો અર્થ થતો હતો તે વિદ્વાનો નિશ્ચિત નથી કરી શકયા. કાળ, ક્રિયા વગેરે અંગેનો આજીવિક સંપ્રદાયનો મત પણ અહીં વ્યક્ત થયો છે. આમ, આજીવિકોની મૂળતત્ત્વ વિષયક માન્યતાનો નિર્દેશ આ શ્લોકમાં છે એટલું તારવી શકાય છે.
अनुमानं मनोवृत्ति-रन्वयनिश्चयात्मिका ।
त्रैकाल्याङ्गादिवृत्तान्ता हेतुरव्यभिचारतः ।।३०।। વિવરણ તત્ત્વચર્ચામાં તર્કનો મહિમા વધ્યો અને દરેક સંપ્રદાયે તાર્કિક શૈલી અપનાવી
એ તબક્કે આજીવિકોએ પણ તર્ક દ્વારા પોતાના સિદ્ધાંતોની સ્થાપના કરતા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચ્યા. એ ગ્રંથો આજે ઉપલબ્ધ નથી, પરંત. શ્રી સિદ્ધસેન દિવાકરની સામે એ ગ્રંથો હતા, જેનો આધાર દિવાકરજીએ નિયતિ દ્વાáિશિકામાં લીધો છે. પાલિ અને અર્ધમાગધી સાહિત્યમાં નોંધાયેલી